Quantcast
Channel: Astrology – chitralekha
Viewing all 4035 articles
Browse latest View live

પંચાંગ તા. 17/02/2019


પંચાંગ તા. 18/02/2019

રત્નો-ઉપરત્નોની શક્તિઓનું રહસ્ય બતાવતો પ્રયોગ

$
0
0

નુષ્યના જીવનની શરૂઆત નાભિમાં પ્રાણ આવવાથી થાય છે. તેનું શરીર પાંચ મહાભૂતનું બનેલું છે. પરંતુ શરીરને માત્ર આ વાયુ, આકાશ, પૃથ્વી, અગ્નિ અને જળ જ ચલાવે છે તેવું નથી. ખરેખર તો પાંચ મહાભૂત બાકીના અદ્રશ્ય કારણોને ચલાવવાનું માધ્યમ છે. ખરી દુનિયા તો આપાંચ મહાભૂતની પાછળ ચાલ્યા કરે છે. બ્રહ્માંડીય શરીર, ભાવનાત્મક શરીર, માનસિક શરીર, આધ્યાત્મિક શરીર પણ આ શરીર સાથે જોડાયેલા રહે છે. મનુષ્યના મન, આત્મા અને શરીરને અદ્રશ્ય ઊર્જાઓ ચલાવતી રહે છે. તેનું ભાવનાત્મક શરીર પણ વધારો ઘટાડો અનુભવે છે, તે સાથે આધ્યાત્મિક શરીર એટલે કે આધ્યાત્મિક દુનિયાની તેની ઓળખ પણ વધતી ઘટતી રહે છે. માનસિક અને ભાવનાત્મક શરીરને લીધે તો મનુષ્ય રોગમાંથી બચી શકે છે અથવા રોગોથી મુકત પણ થાય છે.

આ અદ્રશ્ય શારીરિક ઊર્જા તેના ભૌતિક શરીરનું ભવિષ્ય નિર્માણ કરે છે. ખૂબી એ છે કે માનસિક અને ભાવનાત્મક શરીર ક્યારેક ભૌતિક શરીરની પણ ઉપર હોય છે, એટલે કે ભૌતિક શરીર કરતા માનસિક આવેગ અને લાગણીઓ મનુષ્યને વધુ અસર કરે છે. આ બધી ઊર્જાઓ અને મનુષ્યના શરીરના આ પરિમાણસૂર્ય અથવા તો ઉન્નત વૈશ્વિક ઊર્જા સાથે સીધા સંબંધમાં છે. જ્યોતિષમાંજેમ સ્ટોન્સના જે સુચન થયા છે, તે જેમસ્ટોન્સ બિલકુલ આ ઊર્જાઓ સાથે તાલમેલ કરીને મનુષ્યનાબ્રહ્માંડીય શરીર, ભાવનાત્મક શરીર, માનસિક શરીર, આધ્યાત્મિક શરીર અને ચેતનામાં પણ ફેરફાર કરી શકે છે. હાલમાં હું એક સંશોધન વાંચી રહ્યો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે પૂર્વના એક દેશમાં રેલવે સ્ટેશન પર હવે વાદળી રંગનો પ્રકાશ બધી લાઈટ્સમાં મુકવામાં આવ્યો છે, ત્યાં રેલ્વે સ્ટેશન પર આ વાદળી રંગનો પ્રકાશ કરવાથી લોકોના મન અને શરીરને આરામનો અનુભવ થવા લાગ્યો છે. મુસાફરોને માનસિક તાણ અને થાકથી આ વાદળી પ્રકાશ રાહત આપે છે.

જેમ કે, કેટલાક સેમી-પ્રેશિયસ જેમસ્ટોન્સ, પણ જીવનમાં કમાલની અસરો કરે છે. રોસ ક્વાર્ટ્ઝ તમારામાં પ્રેમની ઊર્જા વધારે છે. લાપીસ લાઝુલી તમારામાં કૌશલ્ય અને બુદ્ધિનો વિકાસ કરે છે. ટાઈગર આઈનો સ્ટોન તમને શક્તિ અને લડત કરવા માટે ઉત્સાહ આપે છે. પેરીડોટ તમારા શરીરમાં આરામ અને શારીરિક ઊર્જામાં વધારો કરે છે, વધુ કાર્યક્ષમતા આવે છે. સીટ્રાઈન સફળતા અને વ્યવસાયિક સાહસની પ્રેરણા આપે છે. તકલીફોથી ત્રસ્ત અને આશા ગુમાવેલ લોકોના જીવનમાં ગાર્નેટનો સ્ટોન મહત્વનો છે. ગાર્નેટ જીવનમાં આશા અને પ્રાણ ફૂંકે છે, જે લોકો સામાજિક અને આર્થિક બાબતોથી પણ તંગ આવી ગયા હોય છે, તેમને ગાર્નેટ પહેરવાથી આશા અને ધીરજ આવી જજાય છે. ભાગ્યવર્ધક એવો નાનો પણ જવલ્લે મળતો કાર્નેલીયન, જીવનમાંતમને વધુ વિશ્વાસ આપે છે. આસ્ટોન્સ માટે તમારે કોઈ વધુ જ્ઞાનની જરૂર નથી. થોડી જાણકારી સાથે પણ આ સ્ટોન્સ અને જેમ્સ તમે પહેરી શકો છો. જાણકારોએ સદીઓથી આ જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. આજે આ વિદ્યા દુર્લભ થવા લાગી છે.

તમે જેમસ્ટોન્સની ઊર્જામાં વધારો પણ કરી શકો છો. બધા સ્ટોન્સ અને જેમ્સની ઊર્જાનો અખંડ સ્રોત સૂર્ય છે. પ્રીઝમ સૂર્યના પ્રકાશને સાત અલગ વર્ણમાં વહેંચે છે. તમારે આ સૂર્ય પ્રકાશને સવારના સમયે જયારે સૂર્યના કિરણો બિલકુલ ત્રાંસા હોય ત્યારે પ્રીઝમની મદદથી તેનો એક વર્ણપટ કરવાનો છે. સાત વર્ણોને એક લાકડાના પાત્ર પર ઝીલવાના છે. આ વર્ણપટમાં તમારે તમારા જેમસ્ટોનનો જે રંગ હોય તે જ રંગના વર્ણમાં તે જેમસ્ટોનને મુકવાનો છે. આમ રોજે આ જેમસ્ટોનને તેના જ રંગની ઊર્જા સૂર્યમાંથી આપવાથી તેમાં અનેકગણો વાઈબ્રંસ અને પ્રાણિક શક્તિનો સંચાર થાય છે. તેજેમસ્ટોનની ઊર્જા કાળક્રમે ખૂબ જ વધી જાય છે. આ પ્રયોગ આજ સુધી ખૂબ જ ગુપ્ત રહ્યો છે, પરંતુ તમે આ પ્રયોગથી કોસ્મિક ઊર્જાનો સીધો અનુભવ તમારા જીવનમાં કરી શકશો. આ અનુભવની વાત છે, અનુભવે જ તમે જાણી શકો. તમારા આ બાબતે અનુભવ મને મોકલવાનું ભૂલતા નહીં.

પંચાંગ તા. 19/02/2019

પંચાંગ તા. 20/02/2019

પંચાંગ તા. 21/02/2019

પંચાંગ તા. 22/02/2019

ઈશાન દિશા બગડે તો થાય ચર્મરોગ સમસ્યા

$
0
0

“મારા દાદા સૌરાષ્ટ્રમાં ડોક્ટર હતાં. અમે મધ્ય ગુજરાતમાં રહેતાં. જયારે પણ દાદાના ઘરે જવાનું થાય એટલે પાછાં આવ્યાં પછી ક્રીમ લગાડવા પડશે તેવી તૈયારી હોય જ. કારણકે ત્યાં જઈએ એટલે ચામડી સૂકાવા લાગે. હોઠ ફાટી જાય અને ક્યારેક લોહી પણ નીકળે. એકબાજુ દાદાના ઘરે જવાનો મોહ અને બીજીબાજુ ચામડી સૂકાઈ જવાનો ડર પણ અંતે તો દાદાના ઘરે જવાનો મોહ જ જીતતો.” આવું સાંભળ્યા પછી વિચાર આવ્યો કે સાવ સામાન્ય લગતી વાત કે શુષ્ક ત્વચાની સમસ્યા છે. તેને પણ લોકો ધ્યાન પર લેતાં હોય છે. અને પછી તરત જ પેલી હાઈ વે પે ચલાના હે? વાળી એડ પણ યાદ આવી ગઈ. ઇશાનની અમુક નકારાત્મકતા શુષ્ક ત્વચા આપી શકે. હવે પેલા ઘરનો વિચાર કરીએ તો બરાબર ઇશાનમાં જ સંડાસ આવેલું અને અગ્નિનો ભાગ પૂર્વ તરફ લંબાયેલો હતો. પૂર્વના અક્ષ પર ત્રણ નકારાત્મકતા હતી.અને તેથી જ એ ઘરમાં ત્વચાની સમસ્યા હતી. વળી ત્યાં રહેતી બે વ્યક્તિઓને તો શિયાળામાં શુષ્કતા એટલી હદે આવતી કે કોઈ પણ ઈલાજ કારગત ન નીવડતાં.

શુષ્ક ત્વચાના કારણોમાં તજા ગરમીને પણ એક કારણ ગણવામાં આવે છે. એના માટે આયુર્વેદમાં ઘણી વાત કરવામાં આવેલી છે. જો દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય તો તજા ગરમીની સમસ્યા આવી શકે. જેના માટે ખેતરાઉ કાળી માટીનો પ્રયોગ હોય કે પછી કાંસાના વાડકાનો પ્રયોગ હોત તે યોગ્ય રીતે ઈલાજ આપતા મેં જોયા છે. અને તેથી જ મારા રીસર્ચમાં ભૂમિ તત્વનું આવી સમસ્યામાં પ્રદાન હોવાની પ્રાથમિક ગણતરી સાથે શરૂઆત કરી અને તેને લગતા પરિણામો મળ્યાં. ત્યાર બાદ તજા ગરમીથી ઉદભવતાં ઘણાં બધાં રોગોના ઈલાજ માટે પણ સંસોધન કરવાનો ઉત્સાહ વધ્યો અને યોગ્ય પરિણામો પણ મળ્યાં.

અમદાવાદમાં એક જગ્યાએ ઘરની મુખ્ય વ્યક્તિને શૌચની જગ્યાએ ચામડી સૂકાઈ જતી જેને લઈને તેમને ખૂબ જ તકલીફ પડતી. આ સમસ્યાના પ્રત્યાઘાત રૂપે તેમનો સ્વભાવ પણ ચીડચીડીઓ થઇ ગયો હતો. દીકરા વહુ થાકી ગયાં હતાં. અને સમસ્યા પણ એવી હતી કે તેમની દયા પણ આવે. પેટ સાફ ન આવે તેનું દુઃખ અને જો આવે તો વધારે દુઃખ. તેમના ઘરમાં અગ્નિના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હતો અને વાયવ્ય પશ્ચિમનું દ્વાર હતું. જેથી શુષ્ક ત્વચા ઉપરાંત પેટની બીમારી પણ આવી હતી. બાકી હતું તો કોઈના કહેવાથી દાદરો ઉત્તરમાં ખસેડ્યો.

એક આખો સંપ્રદાય એવો છે કે જેને અભિમુખની સાચી સમજણ ન હોવાના કારણે ઉત્તરને દક્ષિણ અને દક્ષિણને ઉત્તર સમજે છે. ઉત્તર દિશા પુરુષના આત્મવિશ્વાસ અને નારીના સંતોષ સાથે જોડાયેલી દિશા છે. ઉત્તરના દોષના લીધે ધંધાકીય બાબતો પર પણ અસર પાડવા લાગી. દિવસે દિવસે તકલીફ વધતી જતી હતી. ઘરમાં જેવી હકારાત્મક ઊર્જા વધી કે સમસ્યાનું નિરાકરણ આવવા લાગ્યું. મેં મારા રીસર્ચમાં જોયું છે કે જયારે નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધારે હોય તો ભેજવાળી જગ્યાએ રહેતી વ્યક્તિને પણ ત્વચા સૂકાઈ જવાની તકલીફ આવે છે. મુંબઈમાં એક જગ્યાએ પૂર્વ અને દક્ષિણના અક્ષ નકારાત્મક હતાં અને તેમને ચામડીની તકલીફ હતી.

ત્વચાની સમસ્યા તકલીફ વધારે આપે પણ મોટાભાગે કોઈ તેને રોગ તરીકે ગણાતા નથી તેથી જલદી કોઈની સહાનુભૂતિ પણ ન મળે. એમાં પણ વધારે લાગણીશીલ વ્યક્તિ હોય તો તેને દુઃખ વધારે થાય. કે આટલું હેરાન થાઉં છું. પણ કોઈ ખબર પૂછવા પણ નથી આવતું. બ્રહ્મમાંથી પસાર થતાં બે ત્રાંસા અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું બની શકે. ક્યારેક આવા સંજોગોમાં વ્યક્તિને સમસ્યાઓને બિલોરી કાચમાં જોવાની ટેવ પણ હોય. જે છે તેનાથી મોટું દેખાય અને તેના લીધે તકલીફ વધારે લાગે. ઉત્તરના અક્ષનો ત્રિકોણ બનાવતા અક્ષ નકારાત્મક હોય ત્યારે ઘરમાં રહેતી બંને જાતિની વ્યક્તિઓને ત્વચાની સમસ્યા આવે. અને પુરુષનો સ્વભાવ ક્રોધી થઇ જવાથી નારીને એવું લાગે કે તકલીફ તો મને પણ છે તો પછી માત્ર એમને સમસ્યા હોય તેવો વ્યવહાર શા માટે કરે છે? અને મન પર દબાણ આવે તો પણ ત્વચાની સમસ્યા વધી શકે છે. તે સમજવું જરૂરી છે.

વ્યક્તિ લાંબા સમય સુધી પોતાની લાગણીઓ દબાવીને રાખે તો પણ તેને ત્વચાની સમસ્યા આવી શકે છે. લાગણી દબાવવાથી સાંધાના રોગ પણ થયા છે તેથી ક્યારેક આ બંને સમસ્યાઓ હોય તેવું પણ બને છે. બ્રહ્મમાંથી પસાર થતાં બધાં જ અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું થવાની સંભાવના વધી જાય છે. શુષ્ક ત્વચા હોય તેમણે પાણી વધારે પીવું જોઈએ. વાસ્તુ નિયમો માત્ર બાંધકામ સુધી સીમિત નથી તે જીવનશૈલી સાથે પણ જોડાયેલા છે. અને તેથી જ ભારતીય વાસ્તુ નિયમો વૈશ્વિકસ્તરે પરિણામો આપવા સક્ષમ છે. જો આ નિયમોની સાચી સમજ હોય તો ખૂબ જ સારા પરિણામો મળી શકે છે.


પંચાંગ તા. 23/02/2019

પંચાંગ તા. 24/02/2019

ભારતદેશના યુદ્ધ અને ગ્રહોના સંજોગ એકનજરે

$
0
0

ભારત જયારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, ત્યારે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭એ આઝાદીની પળે વૃષભ લગ્ન હતું. આ વૃષભ લગ્નમાં અનેક યોગો થાય છે. જ્યોતિષની ભાષામાં વૃષભ લગ્નને ખુબ જ નસીબવંતુ કહેવાય છે, ગુરુ-ચંદ્રને છોડીને બાકીના બધા ગ્રહો યોગ આપે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે મોટા ભાગના ગ્રહો જળ તત્વમાં બિરાજમાન હતા, મોટા ભાગના ગ્રહો ચર રાશિઓમાં હતા. માટે આ દેશમાં લાગણી, શ્રદ્ધા અને અન્યને આશ્રય આપવાની વાત હંમેશા રહી છે. આ દેશ ભાવનાત્મક અને લાગણીશીલ દેશ રહ્યો છે.

અત્યાર સુધીમાં મોટા યુદ્ધ ગણીએ તો ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું, ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. ૧૯૭૧માં બાંગ્લાદેશનું સર્જન થયું, ભારત આ સમયે પણ યુદ્ધમાં ઉતર્યું. ૧૯૯૯માં કારગીલનું યુદ્ધ થયું.

૧૯૬૨ના યુદ્ધમાં ભારતની કુંડળી મુજબ (બધે પુષ્યપક્ષ અયનાંશ અને વિશોત્તરી દશા), શનિમહા દશામાં ગુરુની અંતરદશા હતી. ગુરુ અગાઉ જણાવ્યું તેમ ભારતની કુંડળી માટે શુભ નથી રહેતો. ૧૯૬૨ના યુદ્ધમાં પડોશી ભાવ કે તૃતિય ભાવમાં મંગળ અને રાહુની યુતિ થવાની હતી. તૃતિય ભાવમાં શુક્ર, બુધ, સૂર્ય, શનિ અને ચંદ્ર બિરાજમાન છે. આ જ ભાવમાં મંગળ અને રાહુની યુતિ થઇ, જેણે દેશને પડોશીથી સંકટ આપ્યું.

૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે બુધની મહાદશામાં બુધની અંતરદશા હતી. બુધ પડોશી ભાવ કે તૃતિય ભાવમાં બિરાજમાન છે. બુધને લીધે ફરીવાર પડોશી દેશનું સંકટ ઉભું થયું હતું. ઓક્ટોબર ૧૯૬૫ની આસપાસ મંગળ અને કેતુ સપ્તમ ભાવમાં યુત થયાં હતાં. દેશની કુંડળીમાં લગ્નભાવે રાહુ પસાર થઇ રહ્યો હતો. બુધ કર્ક રાશિમાં ફળદાયી રહેતો નથી. ૧૯૭૧ના યુદ્ધમાં બુધ મહાદશામાં ચંદ્રની અંતરદશા આવી હતી. એપ્રિલ ૧૯૭૧ની આસપાસ સપ્તમ ભાવમાં ગુરુ અને મંગળ હતા. સપ્તમ ભાવમાં ગુરુ આ કુંડળીમાં જે શુભ નથી તેના લીધે યુદ્ધની શક્યતાઓ બની ચુકી હતી, દસમે રાહુનું ભ્રમણ ચાલી રહ્યું હતું. જે મંગળની દ્રષ્ટિમાં આવી રહ્યો હતો. આમ ૧૯૭૧ના યુદ્ધ સમયે દશા પ્રમાણે ચંદ્ર અને બુધનો મોટો ભાગ રહ્યો.ચંદ્ર દેશની કુંડળી મુજબ શુભ રહેતો નથી.

શુક્રની મહાદશા ૧૯૮૮ની શરૂઆતે આવી, ૨૦૦૮સુધી આ દશા લગ્નેશની દશા હતી. લગ્નેશની દશા હંમેશા શુભ હોય છે. શુક્રની મહાદશામાં દેશમાં નોંધનીય પ્રગતિ થઇ છે. દેશ અને દેશના બજારો આર્થિક હરણફાળ ભરવા લાગ્યા હતા. શુક્રમાં શનિની અંતરદશામાં ૨૦૦૦થી ૨૦૦૪સુધીમાં દેશમાં મોટા આર્થિક નિર્ણયો લેવાયા, સમય અને સંજોગ પણ બળવાન હતા. તેના પહેલા મે-જુલાઈ ૧૯૯૯માં બે મહિના સુધી કારગીલમાં યુદ્ધ ચાલ્યું, આ સમયે ફરી ગુરુની અંતરદશા આવી હતી. શુક્રની મહાદશામાં ગુરુની અંતરદશાએ દેશમાં થોડો સમય મુશ્કેલ વધારી હતી. શુક્ર મહાદશાનાથ બળવાન રહેતા, કારગીલનું યુદ્ધ ભારતે જીત્યું. કારગીલના યુદ્ધસમયે પણ રાહુ ત્રીજે પસાર થઇ રહ્યો હતો. મંગળ છઠે અને સામે શનિ અને સૂર્યની યુતિ બારમાં ભાવે દેશની કુંડળીમાં થયા હતા. પણ આ સમયે શુક્ર લગ્નમાં હતો બળવાન હતો, દેશને આ યુદ્ધમાં સફળતા મળી હતી.

અત્યારે ચંદ્રની મહાદશામાં શનિની અંતરદશા ચાલે છે, શનિ ત્રીજા ભાવ સાથે ખુબ બળવાન બનીને જોડાયેલ છે. શનિ પોતે પોતાના નવાંશમાં છે,ત્રીજે ચંદ્ર શનિના નક્ષત્રમાં છે, ત્રીજે બુધ શનિના નક્ષત્રમાં છે, ત્રીજે શુક્ર શનિના નવાંશમાં છે. શનિ પોતે પણ આ કુંડળીમાં યોગકર્તા છે. શનિની અંતરદશા નવેમ્બર ૧૯ સુધી રહેશે. ગુરુ સપ્તમ ભાવે છે, તે શનિ સાથે અષ્ટમ ભાવે જશે, પછીવક્રી થશે. કશ્મકશભર્યા આ માહોલમાં શનિદેવની કૃપા જરૂરથી થશે. શનિએ ધીમે પણ મક્કમતાથી લડતો ગ્રહ છે, કુટનીતિ અને દાવપેચનો ગ્રહ છે. શનિમાં દુશ્મનને કર્મજનિત તકલીફ અને પ્રપંચ સાથે નષ્ટ કરવાની તાકાત છે. પડદા પાછળ દુશ્મનને યુદ્ધ વગર સમાપ્ત કરવાની શક્તિ શનિદેવમાં છે. શનિ અષ્ટમ ભાવે છે, માટે દેશ ભારે હ્રદયે આ ટકરાવને અંજામ આપી શકશે. મે ૧૯માં જયારે મંગળ અને રાહુ દ્વિતીય ભાવે યુત થશે, ત્યારે દેશના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નોંધપાત્ર ઘટનાઓ થઇ શકે. અંતે આ બધુ શનિદેવની સદકૃપા જ હશે. દેશ અખંડઅજેય છે અને રહેશે.

નીરવ રંજન

પંચાંગ તા. 25/02/2019

પંચાંગ તા. 26/02/2019

પંચાંગ તા. 27/02/2019

પંચાંગ તા. 28/02/2019


પંચાંગ તા. 01/03/2019

ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય તો ખોટા તણાવથી સુંદરતા હણાય

$
0
0

તંકવાદીઓ એ હુમલો કર્યો એવા સમાચાર સાથે જ આખા દેશમાં જુવાળ ઉદ્ભવ્યો. બધા જ ભારતીય તરીકે વિચારવા લાગ્યા. કેટલીક જગ્યાએ મીણબત્તીઓ સાથે સરઘસ પણ નીકળ્યા અને ક્યાંક તીખા લખાણો પણ જોવા મળ્યા. જયારે પણ કોઈ મોટી સમસ્યા દેખાય ત્યારે બધા એક બની જાય અને પાછા વિખેરાઈ જાય તેવું પણ બન્યું છે. આપણા મન ને આઘાત લાગે એટલે તે વિરોધ કરે તેવી આપણી સહુની રચના છે. કેટલાક લોકો તો નાની નાની વાત માં વિરોધ નોંધાવે છે તો કેટલાક લોકો રીતસર નો ઝગડો જ કરી લેવાના મૂડ માં આવી જાય છે. ખોટું સહન ન કરવું તે સારી વાત છે. પણ અસ્વીકૃતિ વાળો સ્વભાવ તો નકારાત્મક જ ગણાય. કારણકે એવું મન સાચી વાત પણ સ્વીકારવા તૈયાર થતું નથી.

કેટલાક લોકો તો ગુસ્સો કરી કરીને પોતાની સુંદરતા ખોવાઈ જાય તેટલો તણાવ લઈને ફરે છે. થોડા સમય પહેલા એક સુપર સ્ટોરમાં ૯૦ ટકા ડિસ્કાઉન્ટનું પાટિયું જોઇને અમે ખરીદી કરવા ગયા. ઉપરના માળે ગયા પછી ત્યાં ઉભેલા બહેને કહ્યું કે એ બધું તો સવારમાં જ જતું રહ્યું. હવે માત્ર પાંચ ટકા વાળી વસ્તુઓ જ રહી છે. ત્યાર બાદ આસ પાસના લોકોને ગુસ્સાથી જોવા લાગ્યા. મેં સહજ રીતે પૂછ્યું કે આપના સ્ટાફને સ્મિતના વર્ગ કરાવે છે? અને તે હસી પડ્યા. તેમના ચહેરા પરથી તણાવ જતો રહ્યો. પણ જો આવી સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવામાં આવે તો ચહેરાની રેખાઓ બદલાઈ જાય છે. ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ ક્યારે નકારાત્મક હોય ત્યારે ખોટા તણાવ ના લીધે સુંદરતા હણાય છે. જો ઇશાન નો વધારે દોષ હોય તો વ્યક્તિ નું મિથ્યાભિમાન એટલું બધું કાર્યરત હોય છે કે એ સામાન્ય વાત માં ખોટું લગાડી ને તણાવ વહોરી લે છે અને અંતે તેની સુંદરતા ઓછી થવા લાગે છે. ગમે તેટલો મેકઅપ લગાડવામાં આવે પણ જ્યાં સુધી આંતરિક સુંદરતા નહિ હોય ત્યાં સુધી સાચું સૌન્દર્ય તો નહિજ પામવા મળે.

જો ઉત્તરનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિની અકળામણ તેની રૂંધામણ બની શકે છે અને તે અંદરને અંદર વધારે પડતા વિચારો કર્યા કરવાથી તણાવમાં રહે છે. તેનો સ્વભાવ થોડો અકળામણ વાળો પણ બની જાય છે અને તેથી જ તેમનો ચહેરો અમુક વખતે અલગ લાગે છે. એમાં પણ જો બ્રહ્મનો દોષ હોય તો વ્યક્તિ નકારાત્મક બનતી જાય છે અને ચહેરો ક્યારેક ફૂલી જાય તેવું લાગે. આવી વ્યક્તિઓનો દેખાવ હમેશા એક સરખો રહે તેવું જરૂરી નથી. આવી વ્યક્તિ જો અગ્નિમાં રહેતી હોય તો તેમનો સ્વભાવ બળતણીઓ થવાથી ચહેરા પર નુર ઘટવા લાગે છે. જો એની સાથે દક્ષીણ નો અક્ષ નકારાત્મક હોય તો બદલો લેવાની ભાવના પ્રબળ બને તેવું વિચારી શકાય. કોઈપણ વ્યક્તિનો ગુસ્સો અંતે તો તેને પોતાનેજ નુકશાન પહોચાડે છે. જો બ્રહ્મ માંથી પસાર થતા બંને ત્રાંસા અક્ષ નકારાત્મક હોત તો વ્યક્તિને કોઈ ખોટા વાયદા કરે તેનાથી નફરત રહે છે. તેને આપેલા વાયદા જો કોઈ સતત તોડ્યા કરે તો તેના ગુસ્સામાં તેની ઊંઘ ઉડી જાય છે અને તેની અસર તેના દેખાવ પર આવે છે. એમાં પણ જો ઉત્તરનો દોષ હોય તો વ્યક્તિ આવી વ્યક્તિને માફ નથી કરી શક્તિ અને તેના લીધે ચામડી પર અસર આવે છે.

દક્ષીણ ગુજરાતમાં એક ભાઈ ફરવા ગયા હતા અને ત્યાં તેમને એક માણસ સાથે ઓળખાણ થઇ. પેલા ભાઈ એ એમજ કેટલાક વચનો આપ્યા અને બંને છુટા પડી ગયા.બહારથી આવેલા માણસે તો આ વાત ને સહજ રીતે લીધેલી પણ પેલા ભાઈ એ તેને સાચી માની લીધી. ત્રણ ચાર મહિના સુધી ફોન ન ઉપાડતા પેલા બહારથી આવેલા મિત્રને મળવા પહોચી ગયા, તેમના આશ્ચર્ય સાથે સામેની વ્યક્તિએ કહ્યું કે એવું તો થયા કરે. બધી વાતો ને સાચી ન મનાય. આ બંને ઘરનો અભ્યાસ કરીએ તો દક્ષીણ ગુજરાત વાળા ભાઈ ના ઘરનો ઇશાન માંથી બ્રહ્મ માંથી પસાર થતો અને પૂર્વનો અક્ષ નકારાત્મક હતો જયારે પેલા બીજા ભાઈના  નૈરુત્યના ત્રણેય અક્ષ નકરાત્મક હતા. એક છેતરાયાની લાગણી સાથે સૌન્દર્ય ગુમાવી રહ્યા હતાં તો બીજા છેતર્યા પછીની પરિસ્થિતિ ના ભયમાં સૌન્દર્ય ગુમાવી રહ્યા હતાં. દુખ, મોહ,ભય, સ્વાર્થ, જેવા પરિબળો સુંદરતા ઓછી કરવામાં સિહ ફાળો આપી શકે છે.

બ્રહ્મનો મોટો દોષ હોય અને બંને ત્રાંસા અક્ષ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિને કારણ વિનાનો ભય સતાવ્યા કરે છે. તેમને ખોટું કરતી વખતે કર્મ ચક્ર નો ભય નથી લાગતો પણ જરાક તકલીફ આવે ત્યાં તેમનો ભય જાગૃત થઇ જાય છે. સતત ભય ના કારણે ઘણી વાર તેમનો ચહેરો વિકૃત દેખાવા લાગે છે. સતત નકારત્મક વિચારો મન ને તો નકારાત્મક બનાવે  છે પણ સાથે સાથે તન ને પણ નકારાત્મક બનાવે છે. આવા સંજોગોમાં ભારતીય વાસ્તુના નિયમો સાચેજ મદદ કરે છે.

પંચાંગ તા. 02/03/2019

પંચાંગ તા. 03/03/2019

લગ્ન મોડે થવામાં જાતકનો સ્વભાવ મહત્વનો, જાણો રાશિઓની ખાસિયતો

$
0
0

મારી રાશિ તમારા વિષે બિલકુલ સાચું ચિત્ર રજૂ કરે છે. પશ્ચિમના જ્યોતિષી સૂર્યની રાશિને મહત્વની ગણે છે, જયારે ભારતીય જ્યોતિષીઓ ચંદ્રની રાશિને મહત્વની ગણે છે. ચંદ્રએ મનને રજૂ કરે છે, આત્મા (સૂર્ય) પોતે કોઈ કાર્યમાં જોડતો નથી, એટલે કે તેનું કર્મની દુનિયા પર કોઈ સીધુ મહત્વ રહેતું નથી. જયારે મન એ દરેક કાર્યનું બીજ હોય છે, માટે જ ચંદ્રની રાશિને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

જ્યોતિષના પ્રશ્નોમાં સૌથી જટિલ પ્રશ્ન લગ્નજીવનનો હોય છે. લગ્ન મોડા થવા, લગ્ન પછી મનમેળ ન રહેવો, લગ્ન બાદ એકબીજા પર વિશ્વાસનો અભાવ વગેરે અનેક પ્રશ્નો જ્યોતિષ પાસે આવે છે. લગ્નના થવાના અનેક સંજોગ અને કારણ હોઈ શકે. પરંતુ લગભગ બધાનું માનવું છે કે સૌથી મહત્વનું કારણ તો માણસ પોતે જ હોય છે. જે લોકો લગ્નજીવનને મહત્વ નથી આપતા તેમના જીવનમાં લગ્ન વિષયક સમસ્યા સર્જાય તેમાં નવું શું છે? માણસ પોતે લગ્નના સુખ દુઃખના કેન્દ્રમાં હોય છે, પોતાના કાર્ય માટે જવાબદાર હોય છે. તેનો સ્વભાવ અને અભિગમ આ બધી બાબતોને ચલાવે છે. સંસ્કાર તેના પાયામાં હોય છે, પરંતુ સ્વભાવ અને પોતાની પ્રકૃતિ આગળ મનુષ્ય પણ નિર્બળ બની જાય છે.

દરેક રાશિની પોતાની ખાસિયતો છે. કોઈ રાશિ ચડિયાતી કે કોઈ રાશિ ઉતરતી નથી, માત્ર તેમના અભિગમ અને સ્વભાવ જુદા છે. આ સ્વભાવ જો વધુ પડતા વિકાસ પામે તો તેમના લગ્નજીવન મોડાં શરુ થાય છે અથવા લગ્ન બાબતે નિર્ણય લેવામાં તકલીફ પડે છે. રાશિઓ મુજબ તેમના ગુણ-દોષ જે લગ્ન બાબતે નિર્ણયમાં વિલંબ આપી શકે:

મેષ: અસાધારણ અપેક્ષાઓ અને બિનજરૂરી સરખામણીઓ, સ્પર્ધાત્મક સ્વભાવ, સીધું કહેવાનો સ્વભાવ,પ્રેમ અને લાગણીનો અસ્વીકાર.

વૃષભ: આર્થિક અને ભૌતિક સુખોની વધુ અપેક્ષાઓ, બદલાવ અથવા નવી બાબતોનો અસ્વીકાર, જડતા આવી જવી, પોતાની ચોઈસ જ મહત્વની હોય.

મિથુન: બંને બાજુ લાભ લેવાની આશા, સ્પષ્ટ નિર્ણય કે જવાબદારી લેવી નહીં,લગ્નની બધી બાબતોને એકસાથે લઈને ચાલવું, હકીકત કરતા ચર્ચાને વધુ મહત્વ આપવું.

કર્ક: અમર્યાદિત લાગણીઓ અને પ્રેમની ખોટી કલ્પનાઓ, આર્થિક અને સામાજિક બાબતોને ઓછું મહત્વ, ખોટું પણ લાગણીશીલ પાત્ર પણ ગમે.

સિંહ: ગર્વ અને વધુ પડતો આત્મવિશ્વાસ, પોતાના વિષે ઊંચો અભિપ્રાય, સામેનું પાત્ર ઓછું મહત્વનું ગણવું, ભાગીદારીનો અભાવ.

કન્યા: બીજાની ભૂલો પહેલાં જોવી, નાની બાબતોને મોટી કરતાં રહેવું, સંબંધોમાં ગણતરી મૂકવી, વધુ પડતી ચીવટ રાખવી.

તુલા: સતત બદલાતી માન્યતાઓ, પોતાના અભિગમમાં સતત ફેરફાર થવો, અનેક પાત્રો સાથે મનમેળ થવો, આર્થિક બાબતો વચ્ચે આવવી.

વૃશ્ચિક: પોતાની લાગણીઓ અને માન્યતાઓ સ્પષ્ટ ન હોવી, પોતાને સ્પષ્ટ રીતે રજૂ ન કરી શકવું, અન્ય ઉપર વિશ્વાસનો અભાવ.

ધન: વધુ પડતું સાહસ અને મોટા લક્ષ્યાંક સાથે ચાલવું, લગ્નની ઝીણવટભરી બાબતો અને સંબંધોની લાગણીશીલ બાજુને ન જોવી.

મકર: લગ્નને સામાજિક હોદ્દા સાથે જોડવું, સ્ટેટ્સ અને લોકો શું કહેશે? તેની ઉપર વધુ ધ્યાન આપવું. પાત્ર કરતાં સ્ટેટ્સ મહત્વનું રાખવું.

કુંભ: અન્ય લોકો ન સમજી શકે તે હદનું માનસિક અને બૌદ્ધિક સ્તર, લગ્નને બૌધિક સ્તર અને તર્કની દ્રષ્ટિ પર મુકવા, લાગણીનો અભાવ આવવો.

મીન: પોતાનામાં જવાબદારીનો અભાવ, અન્ય લોકોનો વિશ્વાસ જીતવામાં વિલંબ, લગ્નજીવનની ગંભીર બાબતોમાં રસ ન લેવો. 

 

ઉપર જણાવેલ બાબતો પર ધ્યાન આપીને તેને પોતાના અભિગમમાં ફેરફાર સાથે લેવાથી, લગ્ન બાબતે જે તે રાશિના જાતકોને મદદ થઇ શકે. કોઈ બે કુંડળીઓ ૧૦૦ ટકા મેળ ખાતી નથી. એકબીજાના સ્વભાવને સમજીને જીવન જીવવાથી લગ્નજીવન સફળ બનશે, તેમાં શંકા રાખવા જેવું નથી. પ્રેમ એટલે કોઈ ફેન્ટેસી નહીં પરંતુ એકબીજા માટે ખરી સમજણ હોવી અને એકબીજા માટે સન્માન અને દરકાર હોવી, તેનું નામ જ પ્રેમ છે.

વિચારપુષ્પ: લગ્ન કાગળ ઉપર થતાં હશે પરંતુ સાચાં લગ્ન વિશ્વાસ, સન્માન અને સમજણ પર થાય છે.

Viewing all 4035 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>