પંચાંગ તા. 04/03/2019
પંચાંગ તા. 05/03/2019
પંચાંગ તા. 06/03/2019
પંચાંગ તા. 07/03/2019
અગ્નિના એક ચોક્કસ પદમાં દ્વાર આપે ઘરમાં નારીનું પ્રભુત્વ
અમારા ઘરમાં તો દરરોજ વુમન્સ ડે હોય છે. પહેલા મમ્મીનું ચાલતું અને હવે પત્ની નું. મારા પપ્પા ગામમાં સિંહ જેવા પણ ઘરમાં મમ્મી કહે કે બેસી જાવ એટલે બેસી જવાનું. મારેય જાણે આ ટેવ વારસામાં આવી હોય તેવું લાગે છે. સાવ આવું થોડું હોય? ઘરમાં આપણો કોઈ મત જ નહિ? પાછુ બે સિંહણ ભેગી થાય એટલે પતી ગયું. આખી સોસાયટીને ખબર પડે. જોકે આમ પાછા બંને પ્રેમાળ પણ એટલા જ હોકે. મને જરાક છીંક આવે ને તોય એમને તકલીફ પડે. એમાં પાછુ લોકો પેલો કાર્યેષુ મંત્રી વાળો શ્લોક સંભળાવે તો કેવું લાગી આવે? નારીના પ્રભુત્વની વાત આવે એટલે અગ્નિના દ્વારનો વિચાર ચોક્કસ આવે. અગ્નિના એક ચોક્કસ પદમાં દ્વાર આવતું હોય ત્યારે ઘરમાં નારીનું પ્રભુત્વ રહે છે. અમુક કિસ્સાઓમાં તો એવું પણ બને કે ઘર નારીના નામથી જ લેવામાં આવ્યું હોય. આમ પણ અગ્નિ એટલે નારી સાથે સંલગ્ન દિશા ગણાય. અગ્નિ દિશા નારીને અસર કરે જ.આ દિશા હકારાત્મક હોય તો તેની સારી અસર આવે અને જો આ દિશા નકારાત્મક હોય તો તેની ખરાબ અસર પણ નારીને વ્યાકુળ કરી શકે.
અગ્નિમાં પૂર્વ તરફના દ્વાર નકારાત્મક છે. તેના સ્થાન ના આધારે તેની અસરો જોવા મળે છે. આમાંથી એક દ્વાર લાંબી બીમારી આપી શકે છે. તો એક આત્મવિશ્વાસ માટે યોગ્ય નથી. દક્ષીણ અગ્નિનું એક દ્વાર નારીનો પ્રભાવ વધારવામાં મદદ કરે છે. અહી નારીને સારા મેનેજરની માફક કામ કરતી જોઈ શકાય. પણ જો બરાબર ખૂણામાં દ્વાર આવતું હોય તો તેની નકારાત્મકતા નારીને વધારે પડતી મહત્વકાંક્ષી બનાવી દે છે. જેના લીધે તેના વિચારો સ્વલક્ષી બની જાય તેવું પણ બને. એમાં જો અન્ય મોટા દોષ ભળે તો તેને આત્મશ્લાઘા કરવાની ટેવ પડી જાય છે. ખાસ કરીને ઉત્તરી ઇશાનમાં વજન આવતું હોત તો તેનો સ્વભાવ ભૌતિક્તાવાદી બને છે અને તે ભૌતિકતાના મદમાં અન્યની લાગણી ભૂલી જાય તેવું બને. જેના કારણે તેને નજર સામે હોય તે લોકો મન આપે પણ પીઠ પાછળ લોકોની લાગણી બદલાય તેવું બને. વળી જો દેવસ્થાન પણ અગ્નિના પદમાં હોય તો નારીનો સ્વભાવ સ્વાર્થી હોય તેવી લાગણી થાય. કેટલા બધા લોકો એવી ગેરમાન્યતામાં જીવે છે કે કોઈ પણ જગ્યાએ પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરવાથી એક સરખી ઉર્જા મળે છે.
અગ્નિમાં રસોઈઘર હોવુ જ જોઈએ તે પણ એક ગેર માન્યતા છે. જયારે અગ્નિમાં રસોઈઘર આવે ત્યારે નારીને પોતાની રસોઈ પર ગર્વ થાય તેવી રસોઈ બને છે. જો રસોઈઘરની આંતરિક વ્યવસ્થા વાસ્તુ નિયમો મુજબ હોય તો. અહીં જો દક્ષીણ તરફ મુખ રાખીને રસોઈ થતી હોત તો નારીને અકળામણ થાય છે અને તેના સ્વભાવની અસર સમગ્ર પરિવાર પર જોવા મળે છે. તે નાની નાની વાતમાં અકળાઈ જાય છે. એમાં પણ જો રસોડાના પ્લેટફોર્મનો રંગ કાળો હોય તો તેને ગુસ્સો ખુબજ આવે છે. નારીને ઘરનો મોભ ગણવામાં આવે છે અને જો મોભ બરાબર સ્થિતિમાં ન હોય તો? રસોડાના ઈશાનમાં નકારાત્મકતા હોય તો નારીને જલ્દી માંઠું લાગી જાય છે. આ બધાજ પરિબળો કાર્યરત થાય તો અંતે તબિયત પર અસર પડે. તન અને મનનું સુખ ન હોય તો અન્ય સુખ શું કામના? પૂર્વમાં રસોઈઘર આવતું હોય તો ઘરમાં સાત્વિક રસોઈ બને છે. નારીને કોઈ ખોટી અપેક્ષા હોતી નથી.
જો સાત્વિક રસોઈ ભાવતી હોય તો આ જગ્યા પસંદ કરી શકાય. પણ જો ઉત્તરમાં રસોડું હોય તો નારીનો સ્વભાવ અપેક્ષાઓથી ભરપુર બની જાય છે. તે સતત પોતાની વાતને સાબિત કરવા પ્રયત્ન કરે છે અને અપેક્ષાઓ વધતા દુખી થાય છે. વાયવ્યમાં યોગ્ય રીતે રસોઈઘર બનેલું હોય તો ઘરના મહત્વના અને ખાસ કરીને આર્થિક નિર્ણયોમાં નારીનું પ્રદાન જોવા મળે છે. પશ્ચિમમાં પશ્ચિમ મુખી રસોઈ હોય તો સમયાંતરે નારીના સ્વભાવના કારણે ઘરમાં કંકાશ થયા કરે તેવું બની શકે. નૈરુત્યમાં રસોઈ હોય તો નારીને તન અને મન બંનેનો સંતોષ મળતો નથી. બ્રહ્મમાં રસોઈ ક્યારેય પણ ન થાય.
જો એકાકી નારી અગ્નિમાં યોગ્ય વ્યવસ્થા સાથે રહેતી હોય તો તેનો પ્રભાવ વધે છે. વાયવ્યમાં રહેતી નારીના વિચારો એડવાન્સ હોય છે પણ તેની પાછળ પૃથ્થકરણ દેખાતું નથી. ક્રાંતિકારી વિચારો જો યોગ્ય દિશામાં વપરાય તો સફળતા મળે. પણ જો તેને સમજવા વાળો વર્ગ ન મળે તો વિવિધ વાતોનો સામનો પણ કરવો પડે છે. ઘરની વ્યવસ્થામાં નારીનું ખુબજ મોટું પ્રદાન હોય છે અને તેથીજ ભારતીય વાસ્તુમાં નારીને સુખી કરવા માટેના ખાસ નિયમો આપવામાં આવેલા છે.
પંચાંગ તા. 08/03/2019
પંચાંગ તા. 09/03/2019
પંચાંગ તા. 10/03/2019
પંચાંગ તા. 11/03/2019
દિન અને માસના શુભાશુભ જાણવાની વિસરાઈ ગયેલી સચોટ નક્ષત્ર પદ્ધતિ
જ્યોતિષની મૂળ પદ્ધતિ જે ભારતમાં વિકાસ પામી હતી તે નક્ષત્ર આધારિત જ્યોતિષ પદ્ધતિ હતી. રાશિઓનું ચલણ બાદમાં આવ્યું હતું. જ્યોતિષના જૂના ગ્રંથોમાં તથા જ્યોતિષના જાણકાર મૂળ લેખકો નક્ષત્રને ખૂબ મહત્વ આપતા હતા. જન્મ સમયે ચંદ્રનું નક્ષત્ર અને સૂર્યનું નક્ષત્ર આ બંને નક્ષત્રો ખૂબ જ મહત્વના નક્ષત્ર ગણાય છે. નક્ષત્રનો ઉપયોગ તો ભારતીય જ્યોતિષની સૌથી મોટી ખૂબી છે.
જો તમે કોઈ દિવસે મહત્વનું કાર્ય કરવા જઈ રહ્યા હોવ તો તે દિવસની શુભાશુભ ગણતરી કઈ રીતે કરવી? પરંપરાગત જ્યોતિષમાં તો દશા અને અંતરદશાઓ છે જેની અવધિ પ્રમાણમાં ખૂબ લાંબી છે. દિવસપૂરતા શુભ કે અશુભ ગ્રહો કઈ રીતે જાણવા તે દરેક માટે એક પ્રશ્ન છે.દશા અને અંતરદશાઓ પ્રમાણમાં મોટી અસરો અને જીવનની દિશા મોટા પ્રમાણમાં બદલે છે, અર્થાત દશાઓની અસર લગભગ દરેક ક્ષેત્રને આવરી લે છે, પણ મનુષ્યનો રોજીંદો વ્યવહાર અને તેમાં ઉતાર ચઢાવ થાય છે તેનું માપ કે પ્રમાણ દશાઓની મદદથી કાઢવું લગભગ કલિષ્ટ કાર્ય જ છે.
રોજબરોજની ઘટનાઓ જેમ કે કોઈ મુલાકાતનો સમય, તબિયત બગડવી, યાત્રા કરવી, નાણાકીય વ્યવહાર વગેરે બાબતો ક્યારે શુભ અને ક્યારે અશુભ રહેશે, તેનું માપ ચંદ્ર અને સૂર્યના ભ્રમણ પરથી કાઢી શકાય છે. તમે અનુભવ કરશો તો આ પદ્ધતિ ખૂબ જ સરળ છતાં સચોટ પરિણામ આપનારી છે.
તમારા જન્મ સમયનું ચંદ્રનક્ષત્ર નોંધી લો,જન્મ સમયનું ચંદ્રનક્ષત્રએ તમારા દૈનિક કાર્યોનું સંદર્ભ બિંદુ છે. બધું શુભાશુભ આ બિંદુને આધારે જ ચાલે છે. બધા ગ્રહોના શુભાશુભ પરિણામો પણ આ બિંદુને આધારે જ નક્કી થશે. જાણીને નવાઈ લાગશે પણ મનુષ્યના આખા જીવન પર પ્રભાવ કરનારી દશાઓ આ બિંદુના આધારે જ ચાલે છે. માટે આજન્મ સમયનું ચંદ્રનક્ષત્ર તમે જાણો એ ખૂબ જ મહત્વનું રહેશે.
જન્મ સમયનું ચંદ્રનક્ષત્ર છે તેનાથી ગણતા ત્રીજું, પાંચમું અને સાતમું નક્ષત્ર અનુક્રમે પ્રતિકુળ, કષ્ટકારી અને અતિપ્રતિકુળ કહીશું. જ્યોતિષમાંજેને વિપત, પ્રત્યરી અને વધ તારા કહેવાય છે. નવ-નવ નક્ષત્રોના જૂથ બનાવીએ તો ૨૭ નક્ષત્રોમાં ત્રણ જૂથ બનશે. નવ-નવ તારાઓના અનુક્રમે ગુણ સરખા રહેશે. માટે જન્મ સમયનાચંદ્રનક્ષત્રથી ગણતા ૩,૧૨,૨૧- પ્રતિકુળ નક્ષત્રો; ૫,૧૪,૨૩- કષ્ટકારી નક્ષત્રો તથા ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રો કહેવાશે. બસ, આટલી ગણતરીથી જ તમારા શુભાશુભ ગ્રહોની ગણતરી કરી શકાશે. છે ને બિલકુલ સરળ!આ કોષ્ટકના ઉપયોગ માટે તમારે ગોચરના સૂર્ય અને ચંદ્રના જે તે દિવસના નક્ષત્ર જોવાના છે, ગોચરનો સૂર્ય જો ૩,૧૨,૨૧- પ્રતિકુળ નક્ષત્રો; ૫,૧૪,૨૩- કષ્ટકારી નક્ષત્રો તથા ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રોપર ભ્રમણ કરતો હોય તો તે સમય કષ્ટકારી હશે, તે દરમ્યાન જો ચંદ્ર પણ આ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પર આવી જાય તો તે દિવસ અશુભ જાણવો. તે દિવસે કોઈ નવું કાર્ય કે મોટો નિર્ણય લેવાથી બચવું, યાત્રા પ્રારંભ ના કરવી.
બરાબર આજ ગણતરી મુજબ ૨,૪,૮,૯-માં નક્ષત્ર અનુક્રમે લાભ, સુખ, મિત્ર અને વધુ લાભ દર્શાવે છે. તે મુજબ આગળ ગણતા, ૨,૧૧,૨૦- લાભ, ૪,૧૩,૨૨- સુખ, ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર એટલે અનેક લાભ.ગોચરનો સૂર્ય જો૨,૧૧,૨૦- લાભ, ૪,૧૩,૨૨- સુખ, ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય તો તે સમય ખુબ શુભ હશે, તે દરમ્યાન જો ચંદ્ર પણ આ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પર આવી જાય તો તે દિવસ અતિશુભ જાણવો.વર્ષનું શુભાશુભ જાણવા ગુરુનું ગોચર જોવું, શનિ જે વર્ષે ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રો પરથી પસાર થાય તે જ વર્ષે સૂર્ય જયારે ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રોપરથી પસાર થાય તે સમય અતિકષ્ટકારી વીતે છે. ગુરુ જે વર્ષે૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય તે જા વર્ષે ગોચરનો સૂર્ય પણ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય, તે મહિનાઓ દરમ્યાન અચૂક લાભ થાય છે જ. આ પદ્ધતિમાં ગુરુ અતિશુભ અને શનિ અતિઅશુભ ગણાય છે, જન્મલગ્નની ગણતરી વગર, જન્મકુંડળી વગર પણ આ પદ્ધતિમાં સચોટફળાદેશથાય છે, તે ઘણું આશ્ચર્ય સાથે અહોભાવ ઉપજાવે છે.
પંચાંગ તા. 12/03/2019
પંચાંગ તા. 13/03/2019
પંચાંગ તા. 14/03/2019
પંચાંગ તા. 15/03/2019
ઇશાનના ત્રણેય અક્ષ નકારાત્મક થતાં વિકૃત માનસિકતા ઉદભવી શકે
ધીરે રહીને પૂછીએ શેણે ખોયા નેણ? પંક્તિ તો ઘણા બધાને યાદ હશે. જરા વિચારો, કોઈ સામાન્ય અપશબ્દ બોલે તો પણ માણસને લાગી આવે છે તો જે કુદરતને આધીન ક્ષતિ છે તેના માટે કોઈ સંભળાવે તો વ્યક્તિને દુખ થાય. મધ્ય ગુજરાતમાં એક વ્યક્તિને નાની એવી શારીરિક ક્ષતિ હતી. કોઈને ભાગ્યે જ તેની જાણ થતી. તેમણે ઘર બદલ્યું અને નવી જગ્યાએ વિચિત્ર માનસિકતાનો તે શિકાર થયાં. નાની નાની વાતમાં તેમની શારીરિક તકલીફને અપશબ્દ ના સ્વરૂપે રજૂ કરવામાં આવતી. તેમનો આત્મવિશ્વાસ સાવ તળીએ જતો રહ્યો. એક વાર તેમણે જીવનનો અંત લાવવાનો વિચાર કર્યો.પણ એમ સમસ્યા પૂરી થોડી જ થઇ જાય છે? તેમની દીકરીએ સમજાવ્યું કે કેટલાક લોકોને શારીરિક તકલીફ હોય છે. જેમાં કાંઈજ ખોટું નથી. અને કેટલાક લોકોને માનસિક તકલીફ હોય છે જે અંતે તેમના માટે જ ઘાતક બને છે. વ્યક્તિની હિંમત વધી અને તપાસ કરતા ખબર પડી કે આવું તો તે લોકો અનેકની સાથે કરી રહ્યાં હતાં. આ સોસાયટીમાં નૈરુત્યમાં કચરાપેટી હતી. દક્ષિણ અને પૂર્વ માંથી રોડ જતો હતો અને ઈશાનમાં ઉપર પાણીની ટાંકી હતી. આ ઉપરાંત બરાબર ઉત્તરમાં ખુબ મોટું મશીન હતું અને મુખ્ય દ્વાર ત્રાંશુ હતું. આમ ઇશાનના ત્રણેય અક્ષ નકારાત્મક થતાં વિકૃત માનસિકતા ઉદભવી હતી. આવી જગ્યાએ સત્તાનો દુરુપયોગ પણ થઇ શકે. જે થઇ રહ્યો હતો. નૈરુત્ય ખૂણો માનસિકતા અને આર્થીક બાબતો સાથે જોડાયેલો છે. આ જગ્યા સમૃદ્ધ હોય તો તે વ્યક્તિનો પ્રભાવ પણ વધારી શકે છે.
જો સામાજિક સંસ્થા ટ્રસ્ટ કે સોસાયટીમાં ઉત્તર મુખી બેઠક વ્યવસ્થા હોય તો કાર્યકર્તાઓનો સ્વભાવ ભૌતિક્તાવાદી બને છે અને તેના લીધે આત્મીયતા ઘટે છે. તેમના વ્યવહારમાં અહં અને જરૂરિયાતનો વિચાર વધારે રહે. બ્રહ્મમાં વજન આવે તો પણ તણાવ વધે છે. બ્રહ્મમાં વજન ન રખાય તે વાત સાચી છે પણ બ્રહ્મ માટેની સાચી વ્યાખ્યા સમજવી જરૂરી છે. બ્રહ્મ એ કોઈ બિંદુ નથી. સમગ્ર જગ્યાના ઉભા અને આડા ત્રણ ત્રણ ભાગ કર્યા બાદ મધ્યનો એક નવમાંશ ભાગ મળે તેને બ્રહ્મ સ્થાન ગણાય. અહીં કોઈ વધારે વજન વાળી વસ્તુ કે ઊંચા વૃક્ષો ન રખાય.
જો બ્રહ્મમાંથી પસાર થતાં બધાજ અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિનો સ્વભાવ પરપીડન વૃત્તિથી રાજી થવા વાળો બની શકે. તેમાં પણ જો અગ્નિનો દોષ હોય તો આવી પ્રવૃત્તિમાં નારી પણ ક્યાંક જોવા મળે. જો અગ્નિમાં વાયુનું પ્રતિક આવતું હોય તો આવું કરવામાં નારીનો ટીખળી સ્વભાવ પણ કામ કરી શકે. કર્મના સિદ્ધાંતને પણ સમજવાની શક્તિ અમુક વખતે જતી રહે તેવું બને. આવી એક જગ્યાએ મુખ્ય કાર્યકર્તાને એવું કહેતા સાંભળ્યા હતાં કે મંદિરમાં ઘણું દાન આપીએ છીએ, તો એ ક્યારે કામ આવશે? આવી માનસિકતામાં તેઓ અંતે કર્મના ચક્રમાં આવેજ છે. વળી મંદિરમાં આપેલા પૈસા આપણે ખરેખર ઈશ્વરના હાથમાં મુકીએ છીએ ખરા? ઉદ્દંડ વ્યક્તિ ક્યારેય ઈશ્વરની નજીક ન હોઈ શકે.
એક ખુબજ સમૃદ્ધ પરિવારમાં ૧૩ મુખિયા હતાં. તેરે તેર ના પરિવાર સાથે રહેતા. અગ્નિ વાળા ભાઈ કાવાદાવા કરીને પોતાનું સામ્રાજ્ય સાચવવા પ્રયત્ન કરતા. તો ઉત્તરમાં રહેતા ભાઈના મનમાં હિસાબની ચિંતા રહેતી. ખાસ કરીને તેમાંથી પોતાનો ભાગ વધારે નીકળે તેવો પ્રયત્ન થતો. આમતો બહારથી રૂપાળા લાગતા પરિવારમાં બધા પોત પોતાના સ્વાર્થમાં રાચતા. આ ઘરમાં બરાબર ઇશાન અને પૂર્વ અગ્નિમાં દ્વાર હતાં. બ્રહ્મથી નજીક પોંડ બનાવવામાં આવેલું. માણસો નૈરુત્ય દક્ષિણમાં બેસતા તેથી તેમની મંથરા વૃત્તિ પણ કાર્યરત હતી. ઘરની ચારેય બાજુ ખુલ્લી હતી પણ દક્ષિણ અને પશ્ચિમ વળી જગ્યાઓ પર ગંદુ પાણી અને કચરો રહેતા. બહારથી સમૃદ્ધ લાગતા પરિવારમાં આંતરિક તકલીફોનો પાર ન હતો.
ઘણીવાર જેને લોકો આદર્શ સમજતા હોય તે પણ સુખની વ્યાખ્યામાં નથી આવતા. આ જગ્યાએ વધારે પડતા વાંસ વાવવામાં આવ્યાં હતાં. ઉત્તર અને ઈશાનમાં ઓવરહેડ ટાંકી હતી અને બોરની ઉપર કચરો ભેગો કરતો હતો. બ્રહ્મમાં નારીયેલીઓ વાવવામાં આવી હતી અને પૂર્વમાં કેક્ટસનો બગીચો હતો. સાવ સામાન્ય અને નાની લાગતી બાબતો માણસના સ્વભાવ પર મોટી અસર કરી શકે છે. કોઈ પણ પરિવારના સારા બંધારણમાં હકારાત્મક વિચારધારા ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. હકારાત્મક વિચારધારા માટે ઇશાનથી નૈરુત્યનો અક્ષ હકારાત્મક હોય તે ખુબજ જરૂરી છે. માણસનો સ્વભાવ જ તેની સાચી સુંદરતા છે. વળી કદાચ કોઈ એવી રચના થઇ હોય જે નકારાત્મક હોય તો ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં તેનું નિરાકરણ છે.
પંચાંગ તા. 16/03/2019
પંચાંગ તા. 17/03/2019
દુનિયામાં સૌથી વધુ નીકળતા લોટરી નંબર અને અંકશાસ્ત્ર
ન્યુમેરોલોજી એટલે કે અંકશાસ્ત્રના પરિણામ ઘણીવાર ખૂબ આશ્ચર્યજનક હોય છે. જો તમે સજાગ રહીને નિરીક્ષણ કરતાં રહેશો તો તમારા જીવનની કહાની અમુક અંકો અને સરવાળાની આસપાસ ફર્યા કરતી હશે. ૮ શનિનો અંક છે એટલે ખરાબ છે તેવું ઘણા માને છે, ૧૩નો અંક ટેરો કાર્ડમાં મૃત્યુ દર્શાવે છે માટે ૧૩નો અંક ઘણાં લોકો અશુભ માને છે. પણ તેવું નથી, ૮ કે ૧૩નો અંક શુકનિયાળ સાબિત થયો હોય તેવા લોકો પણ છે. જો જન્મકુંડળીમાં શનિ યોગકારક હોય એટલે કે વૃષભ અથવા તુલા લગ્ન હોય તો આઠનો અંક શુકનિયાળ સાબિત થઇ શકે. જન્મકુંડળીમાં રાહુ ત્રીજે, છઠે કે લાભ સ્થાને હોય તો ૪નો અંક તમને ફળશે, કારણ કે રાહુ શુભ થતાં તેનો અંક ૪ પણ તમને શુભ ફળ આપશે.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના મોટા રાષ્ટ્રોની લોટરીનો એક સર્વે થયો, તેમાં અમુક અંકો જ લોટરીમાં વારંવાર નીકળતા હોવાનું તારણ આવ્યું છે. પહેલી નજરે અસંભવ લાગતી વાત આટલા બધા સર્વેક્ષણ પછી સાચી પડી છે કે અમુક અંકો લોટરીમાં બહાર આવે છે તેની સંભાવના ઘણી વધુ હતી. કાયમ લોટરીમાં સફળ રહેતા અંકોના સરવાળા કરવામાં આવ્યા, તેમાં ૩૩, ૬, ૩૮, ૪૦, ૪૯ અને ૭નો અંક સૌથો વધુ મળ્યા છે. જેમ કે, ૮૯૮૫૩ નંબરની લોટરીમાં જીત મળે તેની સંભાવના વધુ છે. કારણ કે, લોટરીના આ નંબરનો સરવાળો ૩૩ થાય છે. આશ્ચર્યજનક રીતે વધુ સફળ લોટરીમાં ૩૩ અને ૬નાઅંક બધે જ રીપીટ થતા હતા. ૩૩માં ૩નો અંક બે વાર આવે છે, એટલે કે ગુરુનો અંક બે વાર આવ્યો, સરવાળો ૬ થયો એટલે કે શુક્રનો અંક આવ્યો. આમ ૩૩ અને ૬નો અંક શુકનિયાળ પણ છે. પછીના ક્રમે આવતા સરવાળામાં૩૮ના અંકમાં ગુરુ અને શનિ આવે છે. ૪૦માં માત્ર રાહુનો પ્રભાવ છે. ૪૯માં રાહુ અને મંગળનો પ્રભાવ છે. ૭ માત્ર કેતુ છે. મોટેભાગે ૩૪, ૩૨, ૩૮, ૩૩, ૩૯ તથા ૪૦,૪૪,૪૬નો સરવાળો થતો હોય તેવા અંકોની લોટરી વધુ લાગી હોય તેવું તારણ પણ મળે છે. ૨૦, ૨૨, ૨૩, ૨૪ અને ૨૯ પણ લકી જણાય છે. આ સરવાળો તમારી ટીકીટ નંબરના અંકોનો ટોટલ સરવાળો થવો જોઈએ. યાદ રહે કે સૌથી વધુ શુકનિયાળ અગાઉ જણાવ્યું તેમ ૩૩, ૬, ૩૮, ૪૦, ૪૯ અને ૭ જ છે.

લોટરીની ટીકીટના નંબરના સરવાળા કરીએ તો સૌથી ઓછા શુકનિયાળ સાબિત થયા હોય અથવા ભાગ્યે જ લાગતા હોય તેવા અંકોમાં ૨૮,૫, ૨૧ અને ૩૬ વધુ દેખાય છે. ૮ અને ૧૩ પણ અહી અશુભ મળ્યા છે. આ અંકોની લોટરી લાગવાની સંભાવના ખુબ ઓછી છે.
જન્મતારીખના સરવાળા કરતા જૂની પદ્ધતિ કે જેણે કીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિ કહે છે તે વધુ સ્પષ્ટ અને પરિણામ સૂચક છે તેવું અનુભવે જણાયું છે. તમે જયારે પણન્યુમેરોલોજી મુજબ લકી અંક કાઢવાની કોશિશ કરો છો ત્યારે તેના સરવાળામાં ૯નો અંક હંમેશા રાઉન્ડઅપ થાય છે માટે ૯ના અંકનું મહત્વ ગણતરીમાં રહેતું નથી, આ રહસ્ય આસાનીથી નહિ સમજાય પરંતુ તમે સતત ન્યુમેરોલોજી અનુભવ કરશો તો તમને જણાશે કેકીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિ એ વધુ સ્પષ્ટ અને સાચી છે. આ પદ્ધતિમાં ૧થી ૮ સુધીના અંકો જ ગણતરીમાં લેવાયા છે.કીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિની મદદથી વ્યક્તિનું નામ અને વ્યવસાયનું નામ તેના ગ્રહો સાથે અનુકુળ કરી શકાય છે. આ પદ્ધતિના ઉપયોગથી આશ્ચર્ય થાય તેટલી હદે શુભ પરિણામો મળે છે.
નીરવ રંજન