Quantcast
Channel: Astrology – chitralekha
Viewing all 4025 articles
Browse latest View live

પંચાંગ તા. 22/03/2019


દીવાલ પર રંગનો શેડ પસંદ કરતાં રહો સાવધાન

$
0
0

ભારતીય સંસ્કૃતિ એટલે લય, ભારતીય સંસ્કૃતિ એટલે તાલ, ભારતીય સંસ્કૃતિ એટલે વૈવિધ્ય, ભારતીય સંસ્કૃતિ એટલે રંગો. દીવાળીમાં આંગણામાં દેખાતા રંગો ઉત્તરાયણ પર આકાશમાં પથરાય અને હોળી પર તો સમગ્ર વાતાવરણમાં છવાઈ જાય. હોળી એટલે રંગોનો તહેવાર. જે ક્યારેક જીવનમાં પણ અવનવા રંગો ભરી દે. રંગોની હકારાત્મક્તાની વાત આવે એટલે હકારાત્મક નિયમો સાથે જોડાયેલ વાસ્તુ નિયમોની પણ યાદ આવે. રંગો આપણા જીવન પર અસર કરે છે, તેતો હવે વિજ્ઞાને પણ સ્વીકારેલ છે. એક બાળકને મેં એવું કહેતાં સાંભળેલું કે, મને તો મેઘધનુષ જેવું ઘર ગમે. ઘરમાં ચોતરફ અનેક રંગો ફેલાયેલા હોય તો તે અભાસી જીવન આપે છે.મોરના પીંછા પણ અનેક રંગો ધરાવે છે. પણ તેના લીધે મોરની ઉડવાની ક્ષમતા ઘટી જાય છે. તેથી જ દરેક દીવાલ પર અલગઅલગ રંગો હોય તે હિતાવહ નથી. તો પછી જેમાં બધાં જ રંગો ભળી જાય છે, તે શ્વેત રંગ સમગ્ર મકાનમાં કરી શકાય? આવો સવાલ ઉદભવે જ. એનો જવાબ છે, ના. વધારે પડતો શ્વેત રંગ મિથ્યાભિમાન આપી શકે છે. સ્વાભિમાન અને અભિમાન વચ્ચેની પાતળી રેખા ઘણીવાર અહી દેખાતી નથી.

મધ્યગુજરાતમાં મારા એક મિત્રે ઇન્ટીરીયર કર્યું હતું. એમાં એક બાળકનો રૂમ હતો. એ બાળક પેલી રૂમમાં જાય જ નહીં. વળી એને ડર પણ લાગે. રૂમમાં ઘેરો જાંબલી અને ઘાટો લાલ રંગ હતાં. કોઈ મેગેઝીનમાંથી લીધેલો આધાર અહીં નકારાત્મક સાબિત થયો હતો. આ બંને રંગોને આછા કરતાં જ એ રૂમ આકર્ષક બની ગયો. આ પ્રમાણે વાસ્તુમાં પણ રંગોના કોઈ ચોક્કસ પ્રમાણની વાત કરવામાં આવેલી છે. જેમકે નેવી બ્લુ, રોયલ બ્લુ, સ્કાય બ્લુ રંગો માટેના સ્થાન અલગ અલગ છે. તેવી જ રીતે લેમન યલો, પેસ્ટલ યલો જેવા રંગો માટે પણ ચોક્કસ સ્થાન દર્શાવેલા છે. જો યોગ્ય જગ્યાએ યોગ્ય રંગો કરવામાં આવે તો, તેની હકારાત્મક્તાનો લાભ ચોક્કસ મળે છે. કે

કેટલાક રંગોનો વાસ્તુમાં નિષેધ છે તેવું માનવામાં આવે છે. જેમ કે કાળો રંગ. આ રંગ પ્રકાશને શોષી લે છે. જો સમગ્ર મકાનમાં આ રંગ હોય તો? લાગે છે ને નકારાત્મક વાત. હા કદાચ કોઈ જગ્યાએ આવી પાતળી બોર્ડર હોય તો તેને નકારાત્મક ન ગણાય. ઉંબરા પર, રસોડાના પ્લેટફોર્મ પર, પલંગ પર અને છત પર કાળા રંગનો નિષેધ છે. જેના ભારતીય વાસ્તુમાં વિવિધ કારણો પણ દર્શાવવામાં આવેલાં છે.

અમેરિકાના નોર્થ કેરોલીનાના મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો. તેમના એક પાડોશીને મોટી ઉમરે અચાનક અલગ થવાનો વિચાર આવ્યો હતો. કારણ સમજાતું ન હતું. બહાર જાય ત્યારે રાજી રહેને ઘરમાં આવે એટલે એકબીજાના વાંક દેખાય. મેં એમને પૂછ્યું કે હમણાં ઘરમાં રંગરોગાન કરાવ્યું છે? જવાબ હા, માં મળ્યો. એમના ઉત્તરની દીવાલ પર કેસરીનો નકારાત્મક શેડ લગાવવામાં આવ્યો હતો. એ દીવાલનો રંગ બદલાવ્યા બાદ પરિસ્થિતિ પહેલાં જેવી જ થઇ ગઈ. આજ કેસરી રંગને જો અગ્નિના બેડરૂમમાં દક્ષિણની દીવાલ પર લગાવવામાં આવે તો તે હકારાત્મક ગણાય છે. અગ્નિના બેડરૂમમાં જો યુગલ રહેતું હોય તો તેમના સંબંધો, એકબીજા સાથે ફાવે નહી અને એકબીજા વિના ચાલે નહી જેવા થઇ જાય. આવા સંજોગોમાં કેસરી રંગ મદદગાર સાબિત થાય છે.

લીલા રંગનો એક શેડ બધું જ ઠંડુ પાડી દે છે. તેથી આવો રંગ બેડરૂમમાં તો ન જ રખાય. લાલ રંગ પણ બેડરૂમમાં ન રખાય. લાલ રંગ શરૂઆતમાં ઉત્સાહ વધારે છે પણ પછી તે ઉગ્રતા પણ આપે છે. સ્વસ્થ સંબંધો માટે ઉગ્રતા હાનિકારક છે. ગુલાબી રંગની વાત આવે એટલે બાળકનો ચહેરો દેખાય, કોમળ ગુલાબ દેખાય. પણ જો આ રંગ વધારે પ્રમાણમાં વપરાય તો તેના લીધે ઘરમાં કંકાસ આવે છે. તેવું મેં મારા રીસર્ચમાં જોયું છે.આવું જ પીળા રંગ માટે પણ કહી શકાય. આજકાલ મેટાલિક રંગો ઘરમાં લગાવવાનું પણ ટ્રેન્ડી છે. વાસ્તુમાં દરેક દિશા માટે યોગ્ય મેટલની વાત પણ અદભૂત રીતે કહેવામાં આવેલી છે. જે તે રંગ તેની યોગ્ય દિશાના યોગ્ય સ્થાન પર લગાવવામાં આવે તો તે ચોક્કસપણે હકારાત્મકતા આપવા સક્ષમ છે. અને જો રંગોની હકારાત્મકતા મળે તો જીવન સુખમય બને છે. આપણાં તહેવારો સમી સુખમય પળો કાયમ અનુભવાય છે.

પંચાંગ તા. 23/03/2019

પંચાંગ તા. 24/03/2019

મોક્ષ અને આત્મસાધનાના દિવસો અને ચંદ્રની ગતિ

$
0
0

નુષ્યનું સામાજિક, માનસિક અને શારીરિક જીવન ગ્રહોના આધારે વણાયેલું છે. સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે જ આપણા મોટા ભાગના તહેવાર અને સામાજિક પ્રસંગની વ્યવસ્થા થયેલી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આપણું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલે શરુ થાય છે, તેનું પણ કારણ સૂર્યની ગતિ જ છે. દર વર્ષે સૂર્ય ૧૫ એપ્રિલની આસપાસ પ્રથમ રાશિ મેષમાં પ્રવેશ કરે છે. સૂર્યદેવ બારેય રાશિઓમાં પરિભ્રમણ કરીને ફરીથી મેષ રાશિમાં જયારે પ્રવેશ કરે છે ત્યારે નવું નાણાકીય વર્ષ શરુ થાય છે.

ઘડિયાળમાં બાર અંક છે, આ અંકો બાર જ કેમ રાખવામાં આવ્યા? તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ હું રહ્યો જ્યોતિષી એટલે સ્વાભાવિક છે કે મને બધા કારણોમાં ગ્રહો અને નક્ષત્રના સંબંધ દેખાઈ આવે. મારા મતે બાર રાશિઓને જ ઘડિયાળમાં બાર ભાગ તરીકે મૂકી દેવામાં આવી હશે. વર્ણઅક્ષરો ૨૭ ગણાય છે, આ ૨૭ અક્ષરો કેમ માત્ર ૨૭ જ થયા? મારામતે ૨૭ નક્ષત્રોના એક એક વર્ણઅક્ષરને લઈને ૨૭ મૂળાક્ષરો મુકવામાં આવ્યા છે. સમગ્ર ગણિતનોપાયો એટલે કે ૧ થી ૯ અંકોની પદ્ધતિ જ કેમ વિકાસ પામી? તેનું કારણ તમે સમજી ગયા હશો, ગ્રહો પણ નવ જ છે, દરેક ગ્રહનો એક અંક છે, તેને ગણિતમાં સ્થાન મળ્યું છે. કાળક્રમે આ ગુપ્ત રહસ્યો ધીરે ધીરે લુપ્ત થતા ગયા છે. બધા શાસ્ત્રોથી ઉપર એવા જ્યોતિષનેઆજે જલ્દી લોકો સમજી નથી શકતા, તેનાથી દુઃખ પણ ઉપજે છે. સર્વતો ભદ્રચક્રમાં આખાય સંસારનું દર્શન થઇ જાય છે, આ ચક્રની અંદર બધી જ વિગતો ગુપ્તતાથી ભરી દેવામાં આવી છે.

વર્ષ દરમિયાન અમુક દિવસો એવા છે જયારે તમે સાધના અને સેવા પૂજા કરો તો તમારા મન, આત્મા અને શરીરને શાંતિ અને સફળતાનો અનુભવ થાય છે. સાધના ગમે તે દિવસે શરુ ના થઇ શકે. સાધના માટે સૃષ્ટિ અથવા પ્રકૃતિની પરવાનગી હોવી જોઈએ. સુક્ષ્મ તત્વો સાથે મેળાપ થવો જોઈએ. મન અને શરીર બંને કાબુમાં હોવા જોઈએ, તો જ મનુષ્યના સાતેય શરીર અને સાતેય ચક્રો એકસાથે એક દિશામાં ચાલવા લાગે છે અને સાધક ચેતનાનેપાર પહોંચી જાય છે, ભૌતિક કાટમાળમાંથી બહાર નીકળીને વિશુદ્ધ ચેતનાનો અનુભવ કરવા લાગે છે.

નીચે વર્ષના એ દિવસો જણાવેલ છે, જેમાં સૂર્ય, ચંદ્રની ગતિ ભ્રમણ તમારી સાધનામાં મદદ કરનાર હશે. સાધનાની શરૂઆતે ચંદ્રનું નક્ષત્ર સૌમ્ય લેવું.શુક્લ પક્ષમાં ૫,૧૦ કે પૂનમે જો ગુરુવાર આવે તો ઉત્તમ.મેષ, તુલા અને ધન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે મહિનો અગાઉથી નોંધી લેવો.મેષ, તુલા અને ધન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્રમેષ, તુલા અને ધન રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન સાધના માટે ઉત્તમ છે. મોક્ષ પ્રાપ્તિ માટે મીન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્ર મીન રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન મોક્ષ સાધના માટે ઉત્તમ છે.

આત્મ સાધના અને સાક્ષાત્કાર માટે મેષ રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્ર મેષ રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન આત્મસાધના માટે ઉત્તમ છે. પૂર્વભવની પીડા કે ખરાબ કર્મના પ્રાયશ્ચિત કરવા માટે સિંહ રાશિનો સૂર્ય હોય ત્યારે કર્ક રાશિનો ચંદ્ર થાય ત્યારથી ચંદ્ર તુલા સુધી જાય તે દિવસો પ્રાયશ્ચિત, મંત્ર, તંત્ર માટે ખુબ શક્તિશાળી ગણાય છે. ઉપર મુજબ ગણતરી કરતા, નજીકના ભવિષ્યમાં તારીખ ૪ મે ૨૦૧૯ થી૧૮મે ૨૦૧૯ ઉત્તમ ગણાશે, ત્યારબાદ૨૮ ઓગષ્ટ ૨૦૧૯થી ૦૪ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીનો સમય સાધના માટે ઉત્તમ છે. પંચાંગ મુજબ પણ જોઈએ તો તારીખ ૪ મે ૨૦૧૯ થી૨૦મે ૨૦૧૯ની મધ્યે વૈશાખમાં દસમીએ તીર્થંકર મહાવીર પ્રભુને કેવળ જ્ઞાન થયું હતું તે દિવસ આવે છે, અને ૧૮ મે ૨૦૧૯એ વૈશાખ પૂનમે ભગવાન બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમા પણ આવે છે. આમ, સમજી શકાશે કે સૂર્ય, ચંદ્ર અને તેમની ગતિ, મનુષ્યના મન, શરીર અને આત્માના વિકાસ સાથે જોડાયેલા છે.

નીરવ રંજન

પંચાંગ તા. 26/03/2019

પંચાંગ તા. 27/03/2019

પંચાંગ તા. 28/03/2019


પંચાંગ તા. 29/03/2019

જો કર્મની અસર હોય તો વાસ્તુ નિયમો કેવી રીતે કાર્ય કરે?

$
0
0

યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ઈશ્વર પૃથ્વી પર આવે છે. આવું સહુ માને છે. અને જયારે કઈ પણ ખોટું થાય ત્યારે વ્યક્તિને વિચાર આવે કે,” ઈશ્વર હવે ક્યારે આવેશે?” અમુક જગ્યાએ લોકો એવી ભ્રમણામાં પણ દેખાય છે કે દેવસ્થાન માં પૈસા આપી દીધા એટલે ઈશ્વર પોતાના બધા કર્મો માફ કરી દેશે. પોતાની પાસે જે છે તેનો દુર ઉપયોગ કરવાનો વિચાર પણ નકારાત્મક છે. દરેકને અંતે તો પોતાના કર્મ ભોગવવા જ પડે છે. એવું કહે છે કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો. હવે ચોક્કસ વિચાર આવે કે કર્મ અને વાસ્તુને શું લેવે દેવા? વળી જો કર્મની અસર હોય તો પછી વાસ્તુ નિયમો કેવી રીતે કાર્ય કરે? એક સોસાયટીમાં કમિટી બધુ જ ખોટું કરતી. કોઈ માણસ સાચી વાત કરેતો ફસાવી દેવાની ધમકીઓ પણ આપતી. બધાજ ત્રાહિમામ પોકારી ગયા હતા પણ બોલે કોણ? એ સોસાયટીની જમીન અને બાંધકામ નકારાત્મક હતા. કંકાસના લીધે બગીચામાં પણ કોઈ ભાગ્યેજ દેખાતું. જાણે કંસની નગરી. બધા રિબાય પણ બોલે કોઈ નહિ.

આ જગ્યાએ ઉત્તરમાં વજન હતું તેથી પુરુષનો આત્મવિશ્વાસ ઘટે. બરાબર ઇશાન પૂર્વમાં દ્વાર તણાવ વધારવા સક્ષમ હતો. વળી ઈશાનને નૈરુત્યમાં કચરાપેટી હતા. જેનાકારણે કમિટી વાળા નકારાત્મક વિચારો ધરાવતા હતા. આ જગાએ મેનેજરને હથિયાર બનાવીને કામ ચાલતું. નકારાત્મક ઉર્જા અને ખરાબ કર્મ. એની સર્વ પ્રથમ અસર મેનેજરની જિંદગી પર પડી. જયારે પશ્ચિમ નો અક્ષ નકારાત્મક હોય ત્યારે કોર્ટ કચેરી પણ થાય. એની શરૂઆત પણ થઇ. પોતાના પદના આધારે અન્યને રંજાડનાર એક વ્યક્તિના જીવનમાં તકલીફોની શરૂઆત થઇ. એણે વાસ્તુ આધારિત ફેરફાર કરાવ્યા પણ અહી કર્મની અસર આવી. મટીરીયલ ની પસંદગી ખોટી થઇ ગઈ કારણકે રંગ અને મટીરીયલ પણ વાસ્તુનો અગત્યનો ભાગ છે તે તેમને ખબર જ ન હતી.જયારે કર્મ ખરાબ હોય ત્યારે નિર્ણયો નકારાત્મક લેવાય છે.

મારા મત પ્રમાણે વાસ્તુ અને કર્મ એ એકબીજા સાથે સંકળાયેલા છે. જો કર્મ સારા હોય અને વાસ્તુ પરફેક્ટ જગ્યામાં વ્યક્તિ રહેતી હોય તો તેને શ્રેષ્ઠ જીવન મળે છે. પણ જો કર્મ નકારાત્મક હોય તો વાસ્તુની સંપૂર્ણ હકારત્મક્તાનો લાભ નથી મળતો. એવીજ રીતે જો વ્યક્તિ નકારાત્મક ઉર્જામાં રહેતી હોય તો પણ કર્મનું ફળ ભોગવવાનું તો થાય જ.ઉદાહરણ તરીકે કર્મ એ રસ્તો છે તો વાસ્તુની ઉર્જા એ ગાડી છે. સરસ રસ્તો હોય અને જૂની સર્વીસ કર્યા વિનાની ગાડી હોય તો ધાર્યું પરિણામ ન મળે. એવીજ રીતે જો નવી નકોર ગાડી હોય અને ખાડાખડિયા વાળો રસ્તો હોય તો પણ યોગ્ય સ્પીડ થી ગાડી ન ચલાવી શકાય. ક્યારેક એવું લાગે કે કર્મનો સિદ્ધાંત વિસરાઈ રહ્યો છે. તેથી આ વાતની સમજણ ખુબ જ જરૂરી છે.કોઈ પૈસા લઈને ભાગી જાય અને લોકોના માટે રોલમોડેલ બની જાય તો તે

નકારાત્મકતાની નિશાની ગણી શકાય. મારા એક સેમિનારમાં એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે કોઈ માણસ ખૂન કરીને વાસ્તુ પરફેક્ટ જગ્યામાં જતો રહે તો તેની સજા માફ થઇ જાય? અને મારો જવાબ હતો કે જો તે હકારાત્મક ઉર્જામાં હશે તો તેને પોતાના કાર્ય માટે પસ્તાવો થશે અને તે એની માફી માંગી લેશે. હકારાત્મક ઉર્જા હકારાત્મક નિર્ણય લેવાની પ્રેરણા આપે છે. એની સામે નકારત્મક જગ્યામાં હકારાત્મક વ્યક્તિ જાય ત્યારે તેને મન પર ભાર લાગે છે અને તે વહેલી તકે ત્યાંથી બહાર નિકળવા પ્રયત્ન કરે છે.

કેટલીક જગ્યાની નકારાત્મકતા વધારે હોય અને વ્યક્તિના કર્મ પણ યોગ્ય ન હોય ત્યારે તેમના પરિવારમાં નવી પેઢી ને માનસિક કે શારીરિક તકલીફો દેખાય છે. આવા સંજોગોમાં કર્મ અથવાતો ઉર્જા વિષે વિચાર કરવો જરૂરી છે. બ્રહ્મ નો મોટો દોષ હોય અને ઇશાન થી નૈરુત્યનો અક્ષ નકારત્મક હોય ત્યારે વ્યક્તિને અસત્યના માર્ગે જવાની ઈચ્છા વધારે થાય છે. અને અંતે તે કર્મનું ફળ પણ ભોગવે જ છે. આજકાલ કેટલીક નકારાત્મક ટેવો ફેશન ગણાય છે પણ તે અન્તેતો સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. જો સુખમય જીવનની કામના હોય તો વાસ્તુ આધારિત મકાન બનાવવા ઉપરાંત સત્કર્મ કરવાનો વિચાર પણ કરવો જોઈએ.કોઈને તકલીફ આપીને વ્યક્તિ ક્યારેય હકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ નથી કરી શકતો. આવા સમયે તે એવું મને છે કે વાસ્તુ આધારિત મકાન પણ સંપૂર્ણ સુખ નથી આપી શકતું. પણ હા જો કર્મ સારા હશે તો વાસ્તુની ઉર્જાની શ્રેષ્ઠ અસર મળશે.

 

પંચાંગ તા. 30/03/2019

પંચાંગ તા. 31/03/2019

કર્મ અને નસીબના લેખાંજોખાં: જન્મકુંડળી બોલે છે..

$
0
0

જ્યોતિષ ખરેખર જોઈએ તો આધ્યાત્મિક વિષય છે, જ્યોતિષમાં તર્ક સાથે શ્રદ્ધા જોવા મળશે. ગણિત સાથે કથાઓ જોવા મળશે, ભૂગોળ અને ખગોળ સાથે સામાજિક રીતરિવાજ પણ જાણવા મળશે. જ્યોતિષમાં સાયકોલોજી સાથે કુદરતને ચલાવનારા તત્વો પણ જાણવા મળશે, જે મને નથી લાગતું કે બીજા કોઈ શાસ્ત્રમાં હોય. જ્યોતિષમાં કોઈ મત નથી, છતાં જ્યોતિષનું જ્ઞાન એક સર્વોચ્ચ મત છે. નવા જ્યોતિષ જાણનાર લોકોએ એ સમજવું પડશે કે જ્યોતિષ માત્ર ગણિતના દાયરામાં નથી, તેમાં શ્રદ્ધા અને ઉપાસનાનું પણ મહત્વ છે. પહેલાંના સમયમાં જ્યોતિષ એ સાધના હતી, આજે પણ કેટલાક જ્યોતિષીઓ આ સમજે છે. જ્યોતિષને માત્ર તર્કના એરણ પર મુકવું, ક્ષતિયુકત ગણાશે.

ભાગ્યછે એટલે મનુષ્ય છે કે કર્મ છે એટલે મનુષ્ય છે; કર્મ અને ભાગ્યમાં કોણ ચડિયાતું છે તે કોયડો હજુ સુધી ઉકેલાયો નથી. પણ કર્મ અને ભાગ્યની કશ્મકશ વચ્ચે જીવતા મનુષ્ય માટે સમય મહત્વનો છે. ક્યારેક એમ લાગે છે કે કર્મ જ બધું હશે, પણ જયારે જ્યોતિષના ઊંડાણમાં જઈએ છીએ ત્યારે લાગે છે કે ભાગ્યથી મહાન કશું નથી. કર્મ મનુષ્યને ચોક્કસ ઉપર લાવે છે, પણ યશ અને પ્રતિષ્ઠા તો જાણે નસીબના અધિકારમાં હોય તેવું લાગ્યા કરે છે. મોટા રાજનેતાઓ સારા કાર્યો કરીને પણ ક્યારેક લોકોનો રોષ વ્હોરે છે. તો ઘણીવાર આખું જીવન સેવામાં ઘસી નાખનાર વ્યક્તિનું ક્યાય નામ પણ નથી હોતું.શું તેના કર્મમાં ત્રુટી રહી ગઈ હશે? માત્ર લોકોની ભાવના સાથે રમીને પણ કેટલાક લોકો નામ કમાઈ લે છે, તેવા પણ ઠેરઠેર છે. માટે યશ અને પ્રતિષ્ઠા ભાગ્યના દાયરામાં આવતી હશે, તેવું લાગે છે.

મેં પણ સાયન્સનો અભ્યાસ કર્યો છે, હું પણ માનું છું કે કર્મથી જ મનુષ્ય આગળ વધી શકે છે, છતાં જ્યોતિષના અભ્યાસ દરમિયાન અમે ઘણી કુંડળીઓ જોઈ, જેમાં વ્યક્તિની પોતાની તકલીફ તો નામમાત્ર હતી, પરંતુ નસીબ અને સંજોગના નિર્ણયોએ આ વ્યક્તિઓના જીવનમાં અનેક દાવાનળ પેદા કર્યા હતા.  એક એવી વ્યક્તિ કે જેણે કોઈ ભૂલ કે કોઈ ખોટો નિર્ણય નથી લીધો છતાં તેને માનસિક ત્રાસ અને તકલીફોમાંથી નીકળવું પડ્યું. એક એવી વ્યક્તિ જે સત્ય અને ન્યાયપ્રિય છે છતાં લોકોએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો, આજે પણ કોઈ પણ ભૂલવિના અથવા નાની વાતોમાં પણ કોર્ટના દ્વારે પહોંચી જનારની સંખ્યા ઓછી નથી.સમજવું પડશે કે આ બધામાં ભાગ્યનો રોલ બહુ મોટો હોય છે. ક્યારેક આપણને નવાઈ લાગે પરંતુ માત્ર હા કે ના અથવા એક મુલાકાતના જોરે વ્યક્તિ રાજદ્વારે સિંહાસન સુધી  પહોંચી જાય છે. બાળપણમાં હાજી મસ્તાન મુંબઈમાં સાઈકલ રીપેર કરતા હતા, કેટલાય વર્ષો દારુણ ગરીબીમાં ગુજારનાર વ્યક્તિના શેઠે તેને મુંબઈનો સૌથી અમીર આદમી બનાવી દીધો હતો, આને કર્મ કહેશો કે ભાગ્ય? હજુ સ્પષ્ટ નથી.

એક કુંડળી છે, ૨૬-૮-૧૯૮૫, મીન લગ્ન છે, રાહુ બીજે, શુક્ર મંગળ બુધ પાંચમે, સૂર્ય છઠે, શનિ કેતુ આઠમે અને ચંદ્ર દસમે છે. ગુરુ લાભસ્થાનમાં છે. સ્વભાવે બિલકુલ સરળ અને મહેનતુ આ ભાઈના લગ્ન ગુજરાત બહાર બીજા રાજ્યમાં રહેતી કન્યા સાથે થયાં. બધું રીતરીવાજ પ્રમાણે જ થયું, લગ્ન માત્ર એક અઠવાડિયું ચાલ્યાં. કોઈ કારણ વગર કન્યા પોતાના પિયર ચાલી ગઈ. ઉલટાનું આ ભાઈ પર કેસ લાગી ગયો. કેસનો નિર્ણય આવ્યો ત્યાં સુધી આ ભાઈ સતત તકલીફોમાં રહ્યાં, પૈસા અને સમયનું પાણી થઇ ગયું. કેસમાં કારણ ગમે તે હશે, સ્વભાવે સરળ આ ભાઈનો કોઈ વાંક નહોતો, છતાં તેમને સારું કરવા જતાં તકલીફો લેવી પડી. આ ઘટના ઘટી ત્યારે તેમને રાહુમાં શનિની અંતરદશા ચાલી રહી હતી (પુષ્ય પક્ષ અયનાંશ). મીન લગ્નમાં શનિ શુભફળ આપતો નથી. આ કુંડળીમાં શનિ ઉચ્ચનો આઠમે છે. સપ્તમ ભાવ સૂર્ય અને શનિ થકી પાપકર્તરી છે.

થોડા સમય પહેલાં ડીસામાં એક ભાઈ કારખાનેથી ઘરે જતો હતો ત્યારે તેણે રસ્તામાં કોઈ વૃદ્ધને લિફ્ટ આપી, પરંતુ આ ભાઈ વૃદ્ધને તેમના ઘેર પહોંચાડે તે પહેલાં તે વૃદ્ધ તેમના વાહનમાં જ કુદરતી ઢળી પડ્યાં, તેમનું મૃત્યુ થયું, ટોળું થઇ ગયું, લોકલ ઓથોરિટી આવી ગઈ, આ ભાઈને ધર્મ કરતાં ધાડ પડી, થોડો સમય બાદ તે વૃદ્ધના ઘરવાળા સમજુ હોઈ મામલો ઠેકાણે પડ્યો. આ ભાઈની કુંડળીમાં રાહુ અને શનિનો ચંદ્ર સાથે યોગ છે.

નીરવ રંજન

પંચાંગ તા. 01/04/2019

પંચાંગ તા. 02/04/2019


પંચાંગ તા. 03/03/2019

પંચાંગ તા. 04/03/2019

પંચાંગ તા. 05/03/2019

આવા ઘરમાં બાળકો વિદ્રોહી બની જાય તેવું બને

$
0
0

“તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો,…” જેવી લાગણી ધરાવતી મહિલાઓ નો વિચાર કરીએ તો હેલીકોપ્ટર ઈલાનો પણ વિચાર આવે કે જેમાં પોતાના બાળક માટે પોતાના બધાજ શોખ કુરબાન કરીદે. અમે જયારે નાના હતા ત્યારે અનેક નારીઓએ પોતાના પરિવાર માટે આ બધુ જ કર્યું હશે. મારી પોતાનીજ માં સારી આર્ટીસ્ટ હોવા છતાં પરિવાર માટે પચાસ વર્ષ પોતાના શોખથી વિમુખ હતી. પણ સમય પ્રમાણે જીવનશૈલી બદલાઈ. ઘરમાં બે વ્યક્તિને કમાવાની જરૂરિયાત ઉભી થઇ. એ સંજોગોમાં પોતાના બાળક માટે સમય કાઢી શકે તેવી માતાઓની સંખ્યા ઘટવા લાગી. કોઈ પણ નારીનું શ્રેષ્ઠ સ્વરૂપ તેનું માતા તરીકેનું સ્વરૂપ જ હોય છે. એવી પણ માતાઓ જોવા મળે છે જે સવારથી સાંજ સુધી બાળકને પોતાની પ્રતિષ્ઠા વધારવા વિવિધ વર્ગોમાં લઈને ભાગતી હોય છે. જાણે કાર્બાઈડથી કેરી પકવવા ન નીકળી હોય. જયારે અગ્નિથી ઉત્તરનો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે આવું બની શકે છે.

માતાને સતત એવું લાગે છે કે અન્યની સરખામણીમાં પોતાનું બાળક વધારે સારું દેખાવું જોઈએ. એમાં પણ જો વાયવ્યનો દોષ ભળે તો તેના માટે પોતાનું બાળક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે. અને ક્યારેક બાળક એ રેસમાં ભાગતા ભાગતા થાકી જાય તો પણ તેને થાક નથી લાગતો. અમુક લોકો પોતાના અધૂરા રહેલા સ્વપ્ન પોતાના બાળકો પાસે પુરા કરાવવા મથતા હોય છે. તેઓ પોતાનું બાળક અલગ વ્યક્તિત્વ છે તે ભૂલી જાય છે. જે બાળકને પોતાના વ્યક્તિત્વથી વિમુખ કરવા સક્ષમ બને છે. અંતે યા તો એ બાળકનો આત્મવિશ્વાસ ઘટી જાય છે યાતો તે વિદ્રોહ કરે છે. ઇશાન ના બંને અક્ષથી બનતો ત્રિકોણ જયારે નકારાત્મક બંને ત્યારે આવી વિચારધારા ઉદભવી શકે છે.

એક માતા ખુબજ સારી ડોક્ટર. તેની એક દીકરી ડોક્ટર ન થઇ અને બીજી દીકરીને કલામાં રસ હતો. પણ માએ પરાણે વિજ્ઞાન પ્રવાહમાં એડ્મિશન લેવરાવ્યું. છ મહિના પછી ખબર પડી કે દીકરીએ જાતેજ પોતાને ગમતી જગ્યાએ એડ્મિશન લઇ લીધું છે. ઘરમાં કોઈની પાસે સમય જ નહતો. તેથી જે ફી અન્ય જગ્યાએ ભરવાની હતી તે તેમની દીકરીએ પોતાને ગમતી કોલેજમાં ભરી દીધી હતી. આ જગ્યાએ વાયવ્ય પશ્ચિમનું મુખ્ય દ્વાર હતું. બ્રહ્મનો દોષ હતો અને ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હતો. અગ્નિમાં મકાન થોડું પૂર્વ તરફ બહાર આવતું હતું. પૂર્વમાં દાદરો હતો. પોતાનું મન ન સચવાયનું દુખ હતું અને સાથે સાથે પોતાની દીકરીને પુરતો સમય ન આપી શકવાનો અફસોસ પણ ખરો. ત્રીજી દીકરી નાની હતી હવે તેનામાં પોતાનું સ્વપ્ન દેખાતું હતું. જગ્યા હકારાત્મક થતાજ તેમના વિચારો બદલાયા અને નાની દીકરીને પોતાના સ્વપ્નમાં સાથે લેવાના વિચારો પણ બદલાયા. કોઈ પણ વ્યક્તિ પોતાને ગમતું કાર્ય કરે તોજ તે સુખી થાય છે.થોડા સમય પહેલા એક ભાઈને મળવાનું થયું હતું. તેમનો દીકરો પાંચ વર્ષનો થયો પણ તેઓ ક્યારેય તેની સાથે રમવાનો સમય કાઢી શક્ય ન હતા. અઠવાડિયામાં એક વાર તેઓ સાથે જમતા હતા. બાળકનું ભવિષ્ય સુધારવા માટે તેઓ તેની આજ માટે સમય નહતા આપી શકતા.

ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. પોતાના બાળકની નાનપણની કોઈપણ યાદ તેમની પાસે ન હતી. તેમની જગ્યામાં ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક હતો. વળી વાયવ્યનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ પણ નકારાત્મક હતો. આનાથી વિપરીત અન્ય એક પરિવારમાં બાળક માટે માતાને ખુબજ ચિંતા રહેતી અને તે બાળકને પોતાની રીતે ખીલવા જ દેતા ન હતા. ઉમર વધતી ગઈ પણ બાળકમાં બાળકપણું રહી ગયું. કોઈક તેને મુર્ખ સમજતા તો કોઈ વધારે પડતો નાટકબાજ. ખરેખર તેનામાં નિર્દોષતા ભારોભાર પડી હતી અને દુનિયાદારીથી તે પર રહી ગયો. માતાપિતા ઈશાનમાં રહેતા હતા અને ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારત્મક હતો.ઘરની પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ તરફથી રોડ જતો હતો. નૈરુત્યમાં દાદરો હતો અને વાયવ્યનો દોષ હતો. બ્રહ્મમાં માળિયું હતું. ઘણીવાર આવા ઘરમાં બાળકો વિદ્રોહી પણ બની જાય તેવું બને. કોઈપણ ઉમરે વ્યક્તિમાં એક બાળક જીવંત હોત તે જરુરી છે પણ લોકો તેને મુર્ખતામાં ખપાવી નદે તે સમજણ જરૂરી છે જ. આવા સ્વભાવથી વ્યક્તિને પોતાને જ તકલીફ પડે છે.

બાળકો નૈરુત્યમાં રહેતા હોય અને વડીલો ઈશાનમાં હોય ત્યારે ઘરમાં બાળકો વડીલોના વડીલ હોય તેવું તેમને લાગે છે. આવા સંજોગોમાં ઘરનું સંતુલન ખોરવાય છે. નાની ઉમરે બાળકો કેટલાક એવા નિર્ણયો લઇ શકે જેની વડીલોને કલ્પના પણ ન હોય. જોકે આવી સ્થિતિનું પ્રમાણ ઘરની અન્ય વ્યવસ્થાની નકારાત્મકતા પરથી નક્કી કરી શકાય. કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેનાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય નિયમોમાં તેના નિવારણની વાત મળી આવે છે. ભારતીય વાસ્તુ નિયમો મિત્ર ભાવે સમાજને મદદ કરવા માટે બનેલા છે, નહી કે ગભરાવવા માટે.

પંચાંગ તા. 06/03/2019

Viewing all 4025 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>