પંચાંગ તા. 07/03/2019
મનની શાંતિ માટે: રાશિઓ ગ્રહો અને તેમના મંત્ર
મંત્ર મનને મુશ્કેલીથી તારવાનું કાર્ય કરે છે. આપણું સૂક્ષ્મ જગત મનના રહસ્યોની અંદર રહેલું છે. મનની અંદર મનુષ્યની માન્યતાઓ રહેલી છે, મનુષ્ય તેના અનુભવ અને અભ્યાસને આધારે તે માન્યતાઓ સાથે મોટો થાય છે. માનો કે ના માનો, માન્યતાઓપર જીવનની સફળતા ટકી રહેલી છે. તમે જો તમારી માન્યતા બદલી શકો તો જ જીવનમાં પરિવર્તન પણ લાવી શકો.
જ્યોતિષનો આધાર ચંદ્રની દશાઓ એટલે કે મનુષ્યનું મન જ છે. કોઈ ખુશ છે કે દુઃખી, તેનો ખરો ચિતાર તેનું મન જ આપી શકશે. ‘જો મન ચંગા તો કથરોટ મેં ગંગા’. મનુષ્યનું મન ખુબ જ બળવાન છે, ઘણીવાર બુદ્ધિનું જોર પણ મન પાસે નબળું પડી જાય છે. મોટા મોટા નિર્ણયો માત્ર લાગણીને આધારે લઈને અનેક લોકો પસ્તાય છે. આ શું દર્શાવે છે? મન અને માન્યતાઓની શક્તિ! જો મનને ઉગારવું હોય તો મનને કાબૂમાં લાવવું પડે, મનને શાંતિ આપવા માટે દરેક રાશિ અનુસાર નીચે મંત્ર આપેલ છે, આ મંત્રના શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી જે તે રાશિના જાતકોને માનસિક શાંતિ અને સમૃદ્ધિ મળી શકશે. શાંતિ પ્રાપ્ત કરવી હોય તો મનને ગુસ્સા અને શંકાથી બચાવવું પડે. જેનું મન શંકાશીલ હશે તેને ક્યાંય સુખની પ્રાપ્તિ થવાની નથી.
મંત્રના જાપ કરતી વખતે માત્ર શબ્દો અને તેના ઉચ્ચારણ પર ધ્યાન કેન્દ્રિત કરો, મનમાં ધ્યાન કરો કે મંત્ર દ્વારા તમને શાંતિનો અનુભવ થઇ રહ્યો છે. મંત્રની શક્તિ તમારી અંદર સુખ અને સમૃદ્ધિનો સંચાર કરી રહી છે. ખરાબ શક્તિ અને રોગ તમારા શરીરમાંથી બહાર જઈ રહ્યા છે. તમે સુખી બની ચૂક્યાં છો. આ પ્રકારે માનસિક ચિંતન અને ધ્યાન કરતાં રહો અને સાથે મંત્રનું સતત ઉચ્ચારણ કરતા રહો. તમને મંત્ર દ્વારા ચોક્કસ રાહત પ્રાપ્ત થશે.
રહસ્ય: મંત્રોના જેટલા અક્ષર તેટલા હજાર તેમના જાપ.
મેષ રાશિનો મંત્ર:
ॐ ह्रीं श्रीं लक्ष्मी नारायणाय नमः વૃષભ રાશિનો મંત્ર: ॐ गोपालाय उत्तर ध्वजाय नमः મિથુન રાશિનો મંત્ર: ॐ कलीं कृष्णाय नमः કર્ક રાશિનો મંત્ર: ॐ हिरण्य गर्भाय अव्य्कत रूपिणे नमः સિંહ રાશિનો મંત્ર: ॐ कलीं ब्रह्मणे जगदधारय नमः કન્યા રાશિનો મંત્ર: ॐ नमो प्रिं पिताम्बराय नमः તુલા રાશિનો મંત્ર: ॐ तत्व निरन्जनाय तारकरामाय नमः વૃશ્ચિક રાશિનો મંત્ર: ॐ नारायणाय सुर सिन्हाय नमः ધન રાશિનો મંત્ર: ॐश्रीं देव कृष्णाय रुर्ध्व सुताय नमः મકર રાશિનો મંત્ર: ॐ श्रीं वत्सलाय नमः કુંભ રાશિનો મંત્ર: ॐ श्रीं उपेन्द्राय अच्युताय नमः મીન રાશિનો મંત્ર: ॐ कलीं उद् धृताय उद्धारिणे नमः |
નીચે દોષકારક ગ્રહ અને સામે પઠન કરવાના સ્રોતની નોંધ આપી છે, જો આ ગ્રહ દોષકર્તા હોય તો નીચે આપેલ સ્રોતનું પઠન લાભદાયી છે:
ચંદ્ર:
ॐश्रां श्रीं श्रों सः सोमाय नमः શિવમહિમ્ન સ્રોત: કુંભ અને મકર લગ્નના જાતકો માટે શાંતિ બક્ષનાર. મંગળ: ॐ क्रां क्रीं क्रों सः भौमाये नमः અંગારક સ્રોત: કન્યા અને મિથુન લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર. બુધ: ॐ ब्रां ब्रीं ब्रों सः बुधाये नमः વિષ્ણુ સહસ્ત્રનામ: સ્વયં પરાશર ઋષિએ જેનો ઉલ્લેખ પરાશર હોરામાં કરેલ છે, મેષ અને વૃશ્ચિક લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર. ગુરુ: ॐ ग्रां ग्रीं ग्रों सः गुरवे नमः દત્ત બાવની: પ્રભાવશાળી અને તુરંત પીડા દુર કરનાર સ્રોત, તુલા અને વૃષભ લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર. શુક્ર: ॐ द्रां द्रीं द्रों सः शुक्राये नमः લલિતા સહસ્ત્રનામ: માતાજીની ઉપાસના માટે પરમ ફળદાયી, ધન અને મીન લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર. શનિ: ॐप्रां प्रिं प्रों सः शन्ये नमः સુંદરકાંડ, હનુમાન ચાલીસા: ખુબ પ્રચલિત અને આશ્ચર્યકારક સુખદાયી પરિણામો આપે છે, તુરંત વિઘ્ન દુર થાય છે. કર્ક અને સિંહ લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર. સૂર્ય: ॐ ह्रां ह्रीं ह्रों सः सूर्याय नमः આદિત્યહ્રદય અને સૂર્ય સહસ્ત્રનામ: આદિત્ય હ્રદયનો ઉલ્લેખ રામાયણમાં આવે છે, સૂર્યસહસ્ત્રનામ પરમ પ્રભાવી છે, પંદરીયા યંત્ર સાથે આ સ્રોત વાંચતા તત્કાળ રોગ મુક્તિ થાય છે. કુંભ અને મકર લગ્નના જાતકો જો સૂર્યથી પીડિત હોય તો આ સ્રોત વાંચવા જોઈએ. |
રાહુઅને કેતુ દૈત્ય ગ્રહો હોઈ તેની સ્તુતિને બદલે જગદગુરુશિવની સ્તુતિ કરવી જોઈએ.
વિચારપુષ્પ: બધા તોફાન માત્ર નાશ નથી કરતાં, ઘણાં વાતાવરણ પણ શુદ્ધ કરે છે.
પંચાંગ તા. 08/03/2019
પંચાંગ તા. 11/03/2019
પંચાંગ તા. 12/03/2019
પૂર્વનો અક્ષ નકારાત્મક હોય પોતાનું જ ઘણું બગડે
આચાર સંહિતા લાગુ પડે પછી કેટલીક ક્રિયા પ્રક્રિયાઓ પર પ્રતિબંધ લાગી જાય. અને તો પણ કેટલાક લોકો તેનો ભંગ કરે અને સમાચારમાં આવે. ચુંટણી માત્ર મોટા સ્તર પર જ થાય? રોજીંદા જીવનમાં પણ આપની પાસે ઘણા બધા પર્યાયો હોય છે અને તેમાંથી સાચા પર્યાયને ચૂંટવાનો હોય છે. ત્યારે આપણે કોઈ આચારસંહિતાનું પાલન કરીએ છીએ ખરા? ખોટો નિર્ણય આપણે જ લઈએ છીએ. અને તેના કારણો પણ આપણી અંદરથી જ મળે છે. રોજબરોજની વિવિધ સમસ્યાઓનો સામનો કરતા કરતા ક્યારેક વ્યક્તિ કાવાદાવા કરતો પણ થઇ જાય અને રાજકારણ પણ શીખી જાય. પણ શું, પરિવાર,મિત્રો કે સોસાયટીમાં રાજકારણ યોગ્ય છે ખરું? જ્યાં સ્નેહ પામવાનો છે ત્યાં કાવાદાવા થોડાજ થાય?
જયારે અગ્નિમાં પુરુષ રહેતો હોય અને પૂર્વનો અક્ષ નકારાત્મક હોય ત્યારે તેને પોતાની ઉપર વિશ્વાસ ઓછો રહે છે અને દરેક કાર્યમાં ભૂલો શોધવા લાગે છે. તેનો ભય પરાકાષ્ઠા પર હોય છે અને સામાન્ય લાગતી વાતમાં પણ તેને અસલામતીની લાગણી ઉદ્ભવે છે. જે પરિવારની આત્મીયતા માટે ઘાતક બની શકે છે. એમાં પણ પૂર્વનો અક્ષ પણ નકારત્મક હોય તો વ્યક્તિને સતત પોતાને માન મળે તેની ભૂખ જાગે છે અને તે સ્વકેન્દ્રિત નિર્ણયો લઇ શકે છે. ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિને રાજકારણના કાવાદાવામાં રસ જાગે છે. અને તે નકારાત્મક નિર્ણયો લે છે. તેથીજ કોઈ પણ સોસાયટીમાં ઉત્તરથી અગ્નિના ત્રિકોણમાં જો કમિટી મેમ્બર્સ રહેતા હોય તો ત્યાં આત્મીયતા ના બદલે ભય અને રાજકારણ વધારે દેખાઈ શકે. આજ રીતે પરિવારમાં પણ મુખ્ય વ્યક્તિઓ ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણમાં રહેતા હોય તો ઘરમાં રાજકારણ રમાઈ શકે. આમાં પણ જો પશ્ચિમનો અક્ષ પણ નકારત્મક હોય તો વ્યક્તિને ખોટું બોલવું પણ ગમે. પોતે સાચા છે તે સાબિત કરવા તે કોઈ પણ હદ સુધી જઈ શકે. એક જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા હતી અને ખુબ હોબાળો થયો. મુખ્ય વ્યક્તિએ બેભાન થવાનું નાટક કર્યું અને પછી ધમકી આપી કે “ દારૂ પીયને મને હેરાન કર્યો છે તેવી ખોટી ફરિયાદ કરી દઈશ.”કોઈએ પોલીસ બોલાવવાની વાત કરીતો તેનાથી પણ ડરતો નથી તેવી વાત કરી.
બહારના લોકોમાં પોતાનું આધિપત્ય ધરાવવા પોતાના પરીવારથી જ વિમુખ થવાનો વિચાર એ મૂર્ખતા નથી? પણ નકારાત્મકતા માણસ પાસે ખોટા નિર્ણયો લેવરાવી શકે છે. જો અગ્નિ ખૂણો ૯૦ અંશનો ન હોય તો જેતે જગ્યાની નારી પણ આવી પ્રક્રિયામાંથી આનંદ લેતી જોવા મળે છે. લોકોના અધિપતિ ક્યારે લંકેશ બની જાય તે તેમને પણ ખબર નથી રહેતી. જો આ બધી નકારાત્મકતા ઉપરાંત દક્ષિણનો અક્ષ પણ નકારાત્મક હોય તો મુખ્ય વ્યક્તિને ચરિત્રને લગતી સમસ્યા પણ આવી શકે. કેટલીક વનસ્પતિને પણ નકારાત્મક ગણવામાં આવી છે. જેમકે વધારે પડતા વાંસ આત્મીયતા ઘટાડે છે. તો ચંપાના વધારે વૃક્ષો યોગ્ય નથી ગણાતા. બ્રહ્મમાં ઊંચા વુક્ષો હોય કે ઈશાનમાં ઊંચા વૃક્ષો હોય તો તે એકસુત્રતા માટે યોગ્ય નથી.
બ્રહ્મમાં દાદરો કે લીફ્ટ પણ યોગ્ય નથી ગણાતા. બ્રહ્મમાં ખાડો હોય કે જળસ્ત્રોત હોય તો તે મનને તકલીફ પડે તેવા સંજોગો ઉભા કરી શકે છે. આજકાલ ફ્લેટની સિસ્ટમ પ્રચલિત થઇ રહી છે. જગ્યાની સાથે મનમાં પણ સંકડાસ વર્તાય છે. સામસામે દરવાજા આવતા હોય ત્યારે પણ આત્મીયતા ઘટે તેવું બની શકે. પુનામાં એક જગ્યાએ આવી વ્યવસ્થા હતી જ્યાં એક વ્યક્તિએ કોમન કોરીડોરનો ૭૫% ભાગ કવર કરી દીધો હતો અને સામેવાળાને દબડાવતા હતા કે બહાર ચપ્પલ પણ નહિ રાખવાના. વળી ઉલટા ચોર કોતવાલકો ડાંટે ની માફક પોતેજ સામે વાળાની ફરિયાદ કર્યા કરતા હતા.
આ સ્કીમમાં કમિટી મેમ્બર્સ ઉત્તર, અગ્નિ અને દક્ષિણમાં રહેતા હતા તેથી રાજકારણ જોરમાં હતું. વાડ પણ વાંસની અને ઈશાનથી નૈરુત્યનો અક્ષ પણ નકારત્મક. દરરોજની ખટપટથી નવો આવેલો પરિવાર થાકી ગયો. આવા સંજોગો હોય તો ગભરાવાની જરૂર નથી કારણકે ભારતીય વાસ્તુમાં તેનું નિરાકરણ છે. જો સામેવાળી વ્યક્તિની સાથે સતત ટકરાવ થયા કરેછે તો બે ઇંચના બે અરીસા બારશાખ ની બંને બાજુએ યોગ્ય જગ્યાએ લગાવી દેવાથી ફાયદો થાય. માત્ર આ ઉંચાઈ જાણવા ઘરના સભ્યોની ઉંચાઈ સમજવી જરૂરી છે. જો સરળ જીવન હશે તો રાજકારણમાં રસ નહિ રહે અને જગ્યા હકારાત્મક હશે તો રાજકારણ રહિત સ્વસ્થ સમાજ ઉભો થશે.
પંચાંગ તા. 13/03/2019
પંચાંગ તા. 14/03/2019
પંચાંગ તા. 15/03/2019
ફાઈનલ મેચ અને અંકશાસ્ત્રનું રહસ્ય
ગણિત વગર દુનિયા ચાલી શકે તેમ નથી, ગણિત છે તો જ સંસારમાં એક વ્યવસ્થા બની રહે છે. અંક દરેક મનુષ્યના જીવનથી લઈને સમગ્ર સંસારમાં પોતાનો પ્રભાવ બતાવે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ અમે અનેક પ્રયોગ કરીને એ અનુભવ્યું છે કે અંકનું વિજ્ઞાન કાર્ય કરે છે અને તે ખુબ મોટું રહસ્ય પણ છે. જેમ કે, એક ક્ષ નામક વ્યક્તિના જીવનમાં 5 નો અંક ખુબ પ્રભાવી જણાયો છે, તેમની જન્મતારીખ 5 છે, તેઓ 5 નંબરના મકાનમાં રહે છે, તેઓએ નવું મકાન ખરીદ્યું ત્યારે 5 તારીખ હતી, તેઓ પહેલીવાર નોકરીએ લાગ્યા ત્યારે પણ 5 તારીખ હતી. તેઓના નામનો સરવાળો 5 છે, તેમના ઘણા મિત્રોના નામના સરવાળા 1 અને 5 છે. તેઓ ટ્રેઈન, ફ્લાઈટના નંબર પણ લખી રાખે છે, તેમાં મોટેભાગે 5 નો અંક જ આવતો હોય છે. 4 કે 8 નંબરના મકાન કે વાહન જલ્દી ફળતા નથી?
ઉપરનો કિસ્સો આશ્ચર્યજનક છે, આવા અનેક પ્રસંગ છે, જેમાં અંક જે તે વ્યક્તિના જીવનનું કેન્દ્રબિંદુ બન્યા હશે. ઉપર જણાવેલ કિસ્સામાં આ ભાઈ આસાનીથી કહી શકશે કે હવે પછી તેમના જીવનમાં મહત્વની ઘટના ક્યારે ઘટશે? જેમકે, તેઓ જો કોઈ મહત્વની મુલાકાત માટે રાહ જોઈ રહ્યા હોય તો શક્ય છે કે તે આવતા મહિનાની 5, 14, 23 તારીખે હોય? સાંજે 5 વાગ્યે હોય, શક્ય છે કે તે મુલાકાત પાંચમાં મહિનામાં ગોઠવાય? જયારે એકવાર તમને તમારા જીવનના મહત્વના અંક હાથ લાગી જાય છે ત્યારે તમે તે અંકોનો પોતાના જીવનમાં ઉન્નતિ માટે ઉપયોગ કરી જ શકો છો.
એક કંપનીમાં 3 અને 6 નો પ્રભાવ:
ગુજરાતની એક મોટી કંપનીમાં 3 અને 6 નંબર પ્રભાવી હતા, આ કંપનીના મોટાભાગના કાર્યકરો અને ઉચ્ચપદાધિકારીઓ 3 અને 6 નંબરથી પ્રભાવિત હતા. તેમના નામના સરવાળા 3 અથવા 6 મળતા હતા, કંપનીની મહત્વની તારીખો પણ 3 કે 6 જ રહેતી હતી. આતે કંપની માટે એક ચાવીરૂપ ઘટના કહી શકાય, શક્ય છે કે આ રહસ્યનો ઉપયોગ કરીને તેઓ અથવા કોઈ પણ વ્યક્તિ આ જ પદ્ધતિ વડે પોતાના જીવનનું રહસ્ય ઉજાગ્ર કરી શકે છે. અંકો પોતે એક માહિતી સ્વરૂપે જીવનમાં આવે છે, દરેક મનુષ્યના હાથની વાત છે કે તેનો કઈ રીતે ઉપયોગ કરવો છે. વિમાનનો ઉપયોગ કોઈને યાત્રા કરાવવા માટે થઇ શકે તો યુદ્ધમાં બોમ્બ ફેંકવા માટે પણ વિમાનનો ઉપયોગ થઇ શકે છે, મતલબ સાફ છે કે તમે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિ વડે પોતાના કાર્ય માટે કામે લગાવી શકો છો.
ફૂટબોલ મેચ અને 6 નો અંક:
અંકનું વિજ્ઞાન રહસ્યોથી ભરેલું છે, તે આસાનીથી નહિ પરંતુ ઊંડા વિશ્લેષણ દ્વારા જ હસ્તગત કરી શકાય છે. 15 જુલાઈ 2018ના દિવસે ફ્રાંસ અને ક્રોએશિયાની વચ્ચે ફૂટબોલ વર્ડકપની ફાઈનલ મેચ હતી. આ ગેમમાં ફ્રાંસ શરૂઆતથી નબળું પ્રદર્શન કરી રહ્યું હતું, પાસીંગ અને બોલ પઝેશન પણ ક્રોએશિયાના વધારે હતા, છતાં આ મેચ આખરે ફ્રાંસ જીતી ગયું. ફ્રાંસ સંપૂર્ણ રીતે 6થી પ્રભાવિત દેશ છે, જેમ કે તેના નામનો સરવાળો 6 થાય છે, તેના નામમાં 6 અક્ષર છે. જયારે ક્રોએશિયા 1થી પ્રભાવિત છે. આ મેચ 15-07-2018ના દિવસે રમાઈ, 1+5=6,આખી તારીખ 15-07-2018 નો સરવાળો કરીએ તો (6+7+11)24 એટલે કે 6 થાય છે. આ મેચમાં ટોટલ 6 ગોલ્સ થયા, ફ્રાન્સે ટોટલ 6 ગોલ્સ ઓન ટાર્ગેટ આપ્યા હતા. 6 નંબરનો ખેલાડી પોગ્બા, તેણે ખુબ સારું પ્રદર્શન કર્યું અને ગોલ કર્યો, 6 નંબરના ખેલાડીએ આશરે (59મિનીટ પૂરી થઇ ત્યારે)60મી મિનિટે ગોલ કર્યો. મેચની તારીખ ફ્રાંસના ફેવરમાં હતી જ. 6 ના અંકે ફરીવાર તેની કમાલ બતાવી અને ફ્રાંસના હાથમાં જીત આવી ગઈ. તમે અગાઉ જોયું તેમ તારીખ અને ફ્રાંસના નામનો સરવાળો બધું 6ના અંકની આસપાસ ફરી રહ્યું હતું, જયારે ક્રોએશિયા 1થી પ્રભાવિત છે જે સમય અને તારીખ સાથે મેળ પામતું નહોતું.
વિચારપુષ્પ: દરેક મનુષ્યની અંદર એક બીજો મનુષ્ય પણ હોય છે, જેને તમે જાણતા નથી.
પંચાંગ તા. 16/03/2019
પંચાંગ તા. 17/03/2019
પંચાંગ તા. 18/03/2019
પંચાંગ તા. 19/03/2019
ઇશાન દિશા જો હકારાત્મક હોય તો માનવીને પોતાના માટે ગર્વ થાય
એક ફિલ્મ નાયિકા વિષે વાંચતો હતો અને જાણવા મળ્યું કે અત્યંત સુંદર દેખાતી એ નાયિકાને તેના અંતિમ સમયમાં પોતાનો દેખાવ ન ગમવાથી તેણે ઘરના બધા જ અરીસાઓ ફોડી નાખ્યા હતાં. અને તેનું મૃત્યુ પણ યુવાનીમાં જ થયું હતું? એક ફિલ્મ નો ડાયલોગ છે કે,” મેં અપને આપકી ફેવરીટ હું.” પોતાની જાત માટે પ્રેમ હોવો તે સહજ વાત છે અને પોતાના માટે ગર્વ હોવો તે અત્યંત સારી વાત છે. કારણકે પોતાના માટે ગર્વ થાય તેવું વ્યક્તિત્વ કેળવવું પડે છે. પણ જો તે ગર્વની લાગણી અભિમાનમાં ફેરવાય જાય ત્યારે તે તકલીફ આપે છે. કોઈપણ જગ્યાએ ઇશાન દિશા એટલેકે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશા જો હકારાત્મક હોય તો માનવી ને પોતાના માટે ગર્વ થાય તેવું વ્યક્તિત્વ તે પામી શકે છે. જો પૂર્વ અને ઇશાન બંને હકારત્મક હોય તો આવા વ્યક્તિત્વને સરાહના પણ મળે છે. અને જો પૂર્વ તરફનો અક્ષ હકારત્મક હોય તો વ્યક્તિ તન અને મન બંને રીતે પ્રભાવશાળી હોય છે. અને તે વાતની તેને ખબર હોય છે.આ ઉપરાંત જો દક્ષિણનો અક્ષ હકારત્મક હોય તો વ્યક્તિના પ્રભાવના હકારત્મક પરિણામો પણ જોવા મળે છે. પેલી નાયિકા જે ઘરમાં સુખી થઇ તે ઘર છોડી અને અન્ય જગ્યાએ રહેવા ગઈ પછી તેને પોતાના દેખાવ માટે ધ્રુણા થાય તેવા પરિવર્તનો તેના જીવનમાં આવ્યા. જયારે ઇશાન હકારત્મક હોય અને પૂર્વ નકારત્મક હોય ત્યારે વ્યક્તિને પોતાના માટે મિથ્યાભિમાન ઉદ્ભવે તેવું બને. અને જો પૂર્વ હકારાત્મક હોય અને ઇશાન નકારત્મક હોય તો વ્યક્તિને મળેલી નામનાથી તેને અભિમાનની લાગણી થાય. જો આ બંને હકારત્મક હોય અને દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિને પોતાના દેખાવ માટે ધ્રુણા થઇ શકે. એમાં પણ જો બ્રહ્મ એટલેકે ઘરના મધ્ય ભાગનો દોષ હોય તો વ્યક્તિનો પોતાના માટેનો અભિગમ નકારત્મક બને તેવું બને. મન નકારત્મક બનતા જ તેને પોતાના માટેનો આત્મવિશ્વાસ ઘટે.
એક જાણીતી વ્યક્તિને મળવાનું થયું હતું. એક જમાનામાં તેમની આસપાસ ચાહકોના ટોળા જમા થતા હતા અને તે જ વ્યક્તિ એકલવાયું જીવન જીવી રહી હતી. આત્મવિશ્વાસ તળીએ હતો. ભૂતકાળના પોતાના પ્રદાનની વાતો રાત્ય કરતી હતી અને નવું કામ લેવામાં તેને ભય લાગતો હતો. તેના સફળ સમયમાં તેણે નવું ઘર લીધું જ્યાં પૂર્વ અને દક્ષિણના અક્ષથી બનતો ત્રિકોણ નકારત્મક હતો. અહી ઉત્તરનો પણ દોષ હતો. અચાનક કોઈ એવી ઘટના બની કે તેનો ડર આસમાને પહોચી ગયો. તેના પરિવારજનો સાથે પણ એવી ઘટનાઓ બની કે તેણે પોતાનું કામ બંધ કરવાનો નિર્ણય લીધો. ધીમે ધીમે પોતાનામાંથી શ્રદ્ધા ઘટતી ગઈ. મિથ્યાભિમાન વધતું ગયું અને અંધશ્રદ્ધા વધતી ગઈ. ભારતીય વાસ્તુના નિયમોની મદદથી તેને જાણે નવજીવન મળ્યું.
અન્ય એક જાણીતી વ્યક્તિના ઘરમાં નૈરુત્યમાં ત્રાંસ આવતી હતી,બ્રહ્મમાં માછલીઘર હતું અને પૂર્વ અને દક્ષીણ ના અક્ષ નકારત્મક હતા. તેઓ પરિવારથી વિમુખ હતા. તેમને લાંબી બીમારી પણ આવી. આત્મવિશ્વાસ ઘટતા તે સતત પોતાનું કાર્ય કરે તેવા અન્ય લોકોને શોધતા. લોકો આ જ કારણથી તેમનો ફાયદો પણ ઉઠાવવા પ્રયત્ન કરતા. તેમને સતત ડર રહેતોકે તેમની સાથે કૈક ખરાબ થઇ જશે. બહારનાલોકો જેમને ખુબજ માનતા તે પોતેજ હતાશાનો શિકાર હતા.માણસ મન અથવાતો તનથી સતત બીમાર રહે તો તેનો આત્મવિશ્વાસ ઘટવાન લાગે છે. અને અંતે તે હતાશાનો શિકાર બને છે. આવુજ તેમની સાથે પણ હતું. ઉદાસ હોવું અને હતાશ હોવું વચ્ચેની ભેદરેખા અહી સમજવી જરૂરી છે.
અન્ય એક વ્યક્તિ પોતાના ભૂતકાળની યાદોથી પરેશાન હતા. સંસાર છોડી દીધા પછી ખુબજ સફળ થયા અને એક દિવસ જે વ્યક્તિ માટે સંસાર છોડ્યો હતો તેના જીવનસાથીના મૃત્યુના સમાચાર મળ્યા. શુશુપ્ત ભાવનાઓ સળવળી. રાતની ઊંઘ ઓછી થઇ ગઈ. પગમાં સોજા આવવા લાગ્યા. સામે વાળી વ્યક્તિને કહેણ મોકલ્યું અને જવાબ “ના” આવ્યો. એક બાજુ પદ અને બીજી બાજુ પ્રેમ. તેમના અગ્નિના ત્રણેય અક્ષ નકારત્મક હતા. બ્રહ્મમાં બાંધકામ હતું. તેમના જીવનમાં જાણે તોફાન આવ્યું. વાસ્તુના સૂચનોથી તેમને મન શાંત થયું અને આત્મવિશ્વાસ વધ્યો. વાસ્તુની હકારત્મક ઉર્જા જીવનમાં ઉલ્લાસ લાવવા સક્ષમ છે. જો તે નિયમોને યોગ્ય રીતે સમજવામાં આવે તો.જયારે આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે નકારાત્મકતા વધારે આકર્ષે છે. સત્ય સામે દેખાતું હોય તો પણ તેના પર નજર ન પડે તેવું બને. પણ આવી નકારાત્મકતા થી ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં દરેક બાબતોનું નિરાકરણ છે. જે પોતાને સ્પેશિયલ બનાવવામાં મદદ કરે છે.
પંચાંગ તા. 20/03/2019
પંચાંગ તા. 21/03/2019
મુહુર્તશાસ્ત્રનો કમાલ: ઘર એવું જે રહે અ-ક્ષય અને અ-ક્ષર…
કહેવાય છે કે સારું મુહુર્ત, સો દોષ ટાળી દે છે. બીજાઅર્થમાં સારી ઘડીએ કરેલું મુહુર્ત કાર્ય નિર્વિઘ્ને સંપન્ન કરે છે. સિદ્ધપુરનો રુદ્રમાળ આજે પણ જેમ બન્યો હતો તેમ જ ઉભો છે. સેંકડો જૈન દેરાસર છે, જેઓ સૈકાઓ વટાવી ચૂંક્યાં છે છતાં આજે પણ ત્યાં તીર્થંકરપ્રભુની હેલી અને ભક્તિ તેમની તેમ જ રહી છે. આ બધું શુભ મુહુર્ત સાચવવાનો પ્રતાપ છે.
જૂની દુકાન અને મુહુર્તનો ચમત્કાર:
મેં જોયું છે કે મોટેભાગે લોકો તેમની અનુકુળતાએ મુહુર્ત માંગતા હોય છે. ધીરજ રહેતી નથી અને છેલ્લી ઘડીએ મન મનાવીને મોટેભાગે શનિવારે કે રવિવારે મુહુર્ત રાખી લેતા હોય છે. લોકોની સગવડ પહેલા જોવાની પણ જે-તે ભવન કે ફેકટરી માણસના આખા જીવન સાથે જોડાયેલી છે. તેની તકદીર કે તેનું વજૂદ તે ભવન કે ફેક્ટરી સાથે ચાલતું હોય છે, તે પણ ના ભૂલાય. નામ લીધા વગર જણાવીશું કે અમદાવાદ અને મુંબઈમાં અનેક શેઠિયા છે, જેણે સાવ ઓછામાંથી કરોડો બનાવ્યા હોય છતાં જૂની દુકાને જ બેસતા હોય. બેઠક વર્ષોથી જેમની તેમ ચાલતી હોય, તેઓ તેમાં ફેરફાર કરાવવા પણ નથી માંગતા. જે દુકાને જે મુહુર્ત થયું, તેનો લાભ તેને મળ્યો અને સમય જતાં એ જ તેનો વિશ્વાસ બની ગયો.
મુહુર્ત માટે ઉતાવળ કરશો નહીં:
શુભ કાર્ય એકવાર કરવાનું હોય છે. મુહુર્ત લેવામાં ‘ધીરજ’ હોવી જોઈએ. સારામાં સારા મુહુર્ત લોકો સાચવી નથી શકતા, તેનું કારણ ખોટી ઉતાવળ હોય છે. વર્ષો પછી પસ્તાય છે, ત્યારે શાસ્ત્ર યાદ આવે છે. માટે ધીરજ રાખવી જરૂરી છે, મુહુર્તને સમજીને તેનો ઉપયોગ કરશો થોડું સંશોધન કરશો તો ચોક્કસ ધાર્યા પરિણામ મળશે જ, તેનું કારણ શાસ્ત્રનો અનુભવ છે. બધી માહિતી બધે લખાતી નથી, કેટલીક માહિતી માત્ર ‘ગુરુગમ્ય’ જ રહે છે.
જમીનની ખરીદી:
કર્ક રાશિ જયારે પૂર્વે ઉદિત થાય, ત્યારે ભરણી, આર્દ્રા, વિશાખા કે હસ્ત નક્ષત્રના ચતુર્થ ચરણમાં ચંદ્ર હોય ત્યારે જે જમીન લેવાની હોય તેની માટી ખોદીને લાવીને તમારી મૂળ જમીનમાં પાથરી દેવી. અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉ.ફા., હસ્ત, સ્વાતિ, અનુરાધા, ઉ.ષા., શ્રવણ, શતભિષા અને ઉ.ષા. નક્ષત્રના દિવસે જમીનનો સોદો કરવો. સોમવારે ચંદ્ર, મંગળવારે મંગળ અને શનિવારે શનિ લગ્નમાં ઉદિત થાય ત્યારે પૈસાનો વ્યવહાર કરવો (પૈસા આપવા). આમ કરવાથી સોદો સંપૂર્ણ થાય છે.
આશ્લેષા અને કૃતિકા સમયે ઉત્તરમાં, ચિત્રા અને વિશાખાના સમયે દક્ષિણે, પુષ્ય અને મઘાના સમયે પૂર્વે અને ઉ.ષા. અને શ્રવણ નક્ષત્રના સમયે પશ્ચિમે બાંધકામ શરુ કરવું.
મકાનની જાળવણી:
મકાનના રંગરોગાન માટે ગુરુ અને શુક્રવારે શુભ તિથિમાં રંગકાર્ય કરવું, ચોથ, નોમ અને ચૌદશ, મંગળવાર, શનિવારના દિવસે રંગ કાર્ય કરવું શુભ નથી ગણાતું. કૃતિકા, મઘા, પુષ્ય, પુ.ફા., હસ્ત, મૂળ, રેવતી નક્ષત્રમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર શરુ કરવો શુભ રહેતું નથી. આ સિવાયના નક્ષત્રો ઘરમાં ફેરફાર કરવા માટે સામાન્ય શુભ ગણવા.
મેષ, સિંહ કે ધનના મંગળમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર શરુ કરવો શુભ રહેતું નથી, આ સમયમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર કરવામાં આવે તો ફરી તૂટવાનો ભય રહે છે. શુક્ર કે ગુરુ જયારે કેન્દ્રમાં હોય અને કર્ક, વૃશ્ચિક, મીન, વૃષભ કે મીન રાશિ ઉદિત થાય ત્યારે ઘરમાં રીપેરીંગ કે ફેરફાર કરવાથીશુભ રહે છે, ઘરમાં રીપેરીંગ કે ફેરફાર બાદ ભય કે નુકસાનની શક્યતાઓ રહેતી નથી. ગુરુવારે રોહિણી, ઉ.ફા., મૃગશીર્ષ, ઉ.ષા., ઉ.ભા. નક્ષત્ર આવે તો તે દિવસે કરેલું સમારકામ વર્ષો સુધી ટકે છે.
નવાં કપડાનું શુભાશુભ:
ભરણી, કૃતિકા, આર્દ્રા, આશ્લેષા, મઘા, શતભિષા નક્ષત્રમાં કપડાં નવા પહેરવાની શરૂઆત કરવાથી અનુક્રમે પતિ કે પત્નીને નુકસાન, આગનો ભય, રોગ, ભય, પેટના રોગનો ભય રહે છે. અશ્વિની, રોહિણી, પુનર્વસુ, પુષ્ય, ચિત્રા, સ્વાતિ, પુ.ષા., રેવતીમાં નવા કપડાં પહેરવાથી અનુક્રમે ધનલાભ, સફળતા, આકર્ષણ, અતિલાભ, લાભ, સમૃદ્ધિ, રોગમુક્તિ, રત્નલાભ થાય છે. ઉપરના શુભ નક્ષત્રોમાં નવા ઘરેણાં પણ પહેરી શકાય. ચોથ, નોમ અને ચૌદશ, મંગળવાર, શનિવાર સિવાયના દિવસો શુભ ગણવા.